આજે એશિયા કપ 2025 માં ભારત અને યુએઈ વચ્ચે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માટે મજબૂત દાવેદાર લાગે છે. પરંતુ UAE ના કેપ્ટને ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેઓ ટીમ ઈન્ડિયાને કેવી રીતે હરાવી શકે છે.


UAE ના કેપ્ટને પોતાનો ગેમ પ્લાન રજૂ કર્યો અને એમ પણ કહ્યું કે તેઓ ટીમ ઈન્ડિયા સામેની મેચને મોટી મેચ માનતા નથી.

'કોઈ મોટી મેચ નથી': મુહમ્મદ વસિમ

UAE ના કેપ્ટન મુહમ્મદ વસિમનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેને ટીમ ઈન્ડિયા સાથેની મેચ વિશે પૂછવામાં આવ્યું હતું, જ્યાં તેને કહ્યું હતું કે તેઓ બધી મેચોને સમાન માને છે. વસિમે કહ્યું 'અમે આ મેચને મોટી વાત નહીં ગણીએ કારણ કે બધી ટીમો સારી છે. બધી મેચો સમાન હશે પરંતુ ગરમીમાં અને જે રીતે અમે સખત મહેનત કરી રહ્યા છીએ, અમે અમારી યોજના સાથે આગળ વધીશું. અમે તે દિવસે શીખેલી બાબતોનો અમલ કરવો પડશે. પરિણામ મેચ પર આધાર રાખે છે.'


સૂર્યા બ્રિગેડને કેવી રીતે રોકશો?

મુહમ્મદે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને આખી ભારતીય ટીમ સામે એક યોજના બનાવી છે. તેને કહ્યું કે 'અમે કોઈ એક ખેલાડી સામે કોઈ યોજના તૈયાર કરી નથી. અમે બધા 6-7 બેટ્સમેન માટે એક યોજના બનાવી છે. અમે તેમની શક્તિઓને નહીં પણ તેમની નબળાઈઓને ટાર્ગેટ બનાવીને તેમને આઉટ કરવાનો પ્રયાસ કરીશું. અમે કેટલાક ખેલાડીઓ સામે કાળજીપૂર્વક રમીશું અને જેમને હુમલો કરવાની જરૂર છે તેમને નિશાન બનાવીશું. અમે આવી યોજના બનાવી છે.'


બેટ્સમેન અનુસાર યોજનામાં ફેરફાર કરશે: મુહમ્મદ વસિમ

યુએઈના કેપ્ટને ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે દરેક બેટ્સમેન અનુસાર યોજનામાં ફેરફાર કરશે અને ઘરઆંગણાની પરિસ્થિતિઓનો લાભ લેશે. તેને કહ્યું કે 'જ્યારે પણ ઝાકળ પડે છે, ત્યારે સ્પિનરોની બહુ અસર થતી નથી. બધું હવામાન પર નિર્ભર રહેશે. જેમ મેં તમને કહ્યું હતું, અમે બોલરને તેની સ્થિતિ મુજબ રમીશું અને બેટ્સમેનને તેની સ્થિતિ મુજબ બોલિંગ કરવામાં આવશે. અમે અહીં ઘણું ક્રિકેટ રમીએ છીએ. એવું પણ કહી શકાય કે ભારત અને પાકિસ્તાને પણ અહીં ઘણું રમ્યું છે. પરંતુ આ અમારું ઘર છે અને અમે મહત્તમ લાભ લેવા અને સારું ક્રિકેટ રમવાનો પ્રયાસ કરીશું.'


  • Follow us on: