ICC મહિલા ODI વર્લ્ડકપ 2025માં ભારતીય ટીમે શ્રીલંકા સામે પોતાની પહેલી મેચ રમી હતી. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર અમનજોત કૌરે સારું પ્રદર્શન કર્યું અને જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખરાબ ફિટનેસને કારણે અમનજોતને પાકિસ્તાન સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવી હતી.


મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયા હવે પોતાની આગામી મેચમાં સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ સામે મેચ રમશે, જ્યાં અમનજોતના પ્લેઈંગ ઈલેવનમાં રમવા પર શંકા હોય તેવું લાગી રહ્યું છે.

અમનજોત કૌરની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા

પાકિસ્તાન સામે ટોસ દરમિયાન કેપ્ટન હરમનપ્રીત કૌરે જાહેરાત કરી કે અમનજોત ખરાબ સ્વાસ્થ્યને કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. ટીમ ઈન્ડિયાની બેટિંગે પાકિસ્તાન સામે ખરાબ પ્રદર્શન કર્યું હતું, જ્યાં અમનજોતની ગેરહાજરી ખૂબ જ અનુભવાઈ હતી. મેચ પછી પણ ભારતીય ટીમ મેનેજમેન્ટે અમનજોતની ફિટનેસ અંગે કોઈ અપડેટ આપ્યું ન હતું.

જો અમનજોત કૌર 9 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામેની મેચમાં નહીં રમે તો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. રેણુકા ઠાકુરને પાકિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને સામેલ કરવામાં આવી હતી. રેણુકાએ બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું.

સારા ફોર્મમાં છે અમનજોત કૌર

શ્રીલંકા સામેની મેચમાં અમનજોતે 57 રન બનાવ્યા હતા. તેને બોલ સાથે 37 રન આપીને 1 વિકેટ પણ લીધી હતી. આ પહેલા ઈંગ્લેન્ડ સામે તેને અણનમ 20 રન બનાવ્યા હતા અને 1 વિકેટ પણ લીધી હતી. જો અમનજોત આ રીતે બેટિંગ કરવાનું ચાલુ રાખશે, તો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતી શકે છે. પરંતુ તે ટૂંક સમયમાં ફરીથી ફિટ થવા માગશે. અમનજોતની વાપસીથી ટીમ ઈન્ડિયાનું સંતુલન વધુ સુધરશે. કેપ્ટન હરમનપ્રીત કૌર આશા રાખશે કે સાઉથ આફ્રિકા સામે પસંદગી માટે અમનજોત ઉપલબ્ધ રહેશે.


  • Follow us on: