ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સિરીઝ આવતા મહિને શરૂ થશે. સિરીઝ હજુ થોડો સમય બાકી છે, પરંતુ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પહેલા એક ટેસ્ટ મેચ રમાશે, ત્યારબાદ ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે.

આ માટેની ટીમની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે ભારતીય ટીમની વનડે ટીમ કેવી જોવા મળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીનું રમવું લગભગ નક્કી છે, પરંતુ આ વનડે સિરીઝ દરમિયાન તેમની સાથે અન્ય કયા ખેલાડીઓ રમતા જોવા મળી શકે છે?

જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને ODI સિરીઝમાંથી આરામ આપવામાં આવશે

તમને જણાવી દઈએ કે આ સિરીઝ દરમિયાન કોને આરામ આપી શકાય છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા આ સિરીઝનો ભાગ બને તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે અને તેથી તે IPL મેચ રમી રહ્યો નથી. આવી સ્થિતિમાં આંશિક રીતે ફિટ હાર્દિક પંડ્યા સિરીઝમાંથી બહાર રહી શકે છે.

જસપ્રીત બુમરાહ ફિટ છે, પરંતુ IPLમાં આટલી બધી સતત મેચ રમ્યા પછી, તેના પર વધુ બોજ પડે તેવી શક્યતા ઓછી છે. તેને આરામ આપી શકાય છે. અફઘાનિસ્તાન એટલી મજબૂત ટીમ નથી કે તેને જસપ્રીત બુમરાહની જરૂર પડે.

શુભમન ગિલ ટીમની કરશે કેપ્ટનશીપ

આ દરમિયાન એ વાત ચોક્કસ છે કે શુભમન ગિલ આ સિરીઝ દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તે IPLમાં સારું રમી રહ્યો છે અને શાનદાર કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીનું રમવું લગભગ નક્કી છે, પરંતુ એવું જાણવા મળ્યું છે કે સેલિક્ટર્સ એ જોવા માગે છે કે રોહિત શર્મા સંપૂર્ણ 50 ઓવર માટે ફિલ્ડિંગ કરવા માટે પૂરતો ફિટ છે કે નહીં.

આ ખેલાડીઓને મળી શકે છે તક

શુભમન ગિલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ પણ આ સિરીઝનો ભાગ બનશે તે લગભગ નિશ્ચિત લાગે છે. જો હાર્દિક પંડ્યા નહીં હોય, તો અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને નીતિશ કુમાર રેડ્ડી ને તક આપવામાં આવી શકે છે. ભારતીય ટીમને કુલદીપ યાદવના રૂપમાં બીજા સ્પિનરની જરૂર પડશે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો, મોહમ્મદ સિરાજ અર્શદીપ સિંહ અને યુવાન અને નવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ સાથે ટીમનું નેતૃત્વ કરશે. આ સિવાય સંજુ સેમસન બેકઅપ ઓપનર તરીકે ટીમ સાથે રહે તેવી અપેક્ષા છે. વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ તક આપવામાં આવી શકે છે.

અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ માટે સંભવિત ટીમ ઈન્ડિયા

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?