ભારતીય ક્રિકેટ ટીમ ODI સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. 19 ઓક્ટોબરથી પર્થમાં શરૂ થનારી આ સિરીઝમાં 3 મેચ રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી એકવાર સિરીઝમાં રમતા જોવા મળશે, તેથી તેને લઈને ઘણી ઉત્સુકતા છે. આ દરમિયાન તમારે જાણવું જોઈએ કે ભારત-ઓસ્ટ્રેલિયા ODI સિરીઝની મેચો કયા સમયે શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI મેચ સવારે 9 વાગ્યે થશે શરૂ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી મેચ 19 ઓક્ટોબર રવિવારે રમાશે. બીજી મેચ 23 ઓક્ટોબરે ગુરુવારના રોજ રમાશે. સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 25 ઓક્ટોબરે શનિવારના રોજ રમાશે. પહેલી મેચ પર્થમાં રમાશે. બીજી મેચ એડિલેડમાં અને ત્રીજી સિડનીમાં રમાશે.
આ મેચો ભારતીય સમય મુજબ સવારે 9 વાગ્યે શરૂ થશે. આ સિરીઝ એક દિવસીય સિરીઝ છે.. મેચ સવારે 9 વાગ્યે શરૂ થશે, અને ટોસ તેના અડધા કલાક પહેલા થશે.
વિરાટ કોહલી અને રોહિત માટે આ સિરીઝ રહેશે મહત્વપૂર્ણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની કોઈપણ મેચ હંમેશા રોમાંચક હોય છે, પરંતુ આ વખતે રોહિત અને કોહલીના કારણે ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન નક્કી કરશે કે તેઓ કેટલા વર્ષ વધુ રમી શકે છે. જ્યારે બંને 2027ના ODI વર્લ્ડકપ સુધી રમવાનો પ્રયાસ કરશે, ત્યારે તેમનું ફોર્મ જોવું રસપ્રદ રહેશે.
પહેલીવાર વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે શુભમન ગિલ
શુભમન ગિલ પહેલીવાર ભારતની ODI ટીમનું નેતૃત્વ કરશે. તેને અગાઉ T20 અને ટેસ્ટમાં સેવા આપી છે, પરંતુ ODIમાં આ તેની પહેલી તક છે. શુભમન ગિલ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ અને યુવા ખેલાડીઓ સાથે કેવી રીતે સંકલન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.