શ્રીલંકામાં તા 1 થી 6 મે 2026 દરમિયાન યોજાયેલી 'રેડિયન્ટ પેરા (દિવ્યાંગ) ક્રિકેટ કેટેગરીમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના ત્રણ દિવ્યાંગ રત્નોએ પોતાની પ્રતિભાના જોરે દેશનું ગૌરવ વધાર્યું હતું.
ગુજરાતના ત્રણ ખેલાડીઓએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી આ T20 ક્રિકેટ સિરીઝમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓએ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતીય ટીમના વાઈસ કેપ્ટન ચિરાગ ગાંધી, રિઝવાન લિબાદા અને મુનાફ પટલવાલા શ્રેષ્ટ પ્રદર્શન કર્યું હતું.













