કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026 માટે મથીશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો , પરંતુ ઈજાને કારણે બોલર હજુ સુધી ભારતનો પ્રવાસ કરી શક્યો નથી. અત્યાર સુધી રમાયેલી મેચોમાં KKR ની બોલિંગ ખરાબ રહી છે, અને ટીમ મથીશા પથિરાનાને મિસ કરી રહી છે.
હવે મથિશા પથિરાનાના વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેને નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે.
ક્રિકેટ શ્રીલંકાએ પુષ્ટિ આપી છે કે મથિશા પથિરાના અને વાનિંદુ હસરંગાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ બંનેએ હજુ સુધી તેમના ફિટનેસ ટેસ્ટ સબમિટ કર્યા નથી. ઘણા અન્ય ખેલાડીઓ પણ વિવિધ કારણોસર ફિટનેસ ટેસ્ટ ચૂકી ગયા છે.
પરંતુ તેમની સમયમર્યાદા મહત્વપૂર્ણ છે, કારણ કે બંને IPL 2026 માટે લાયક છે. હસરંગા લખનૌ સુપર જાયન્ટ્સ સાથે છે, જ્યારે મથિશા કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે છે.
મથિશા પથિરાના IPL 2026 માટે ભારત ક્યારે આવશે?
મથિશા પથિરાનાને T20 વર્લ્ડકપ દરમિયાન ઈજા થઈ હતી, પરંતુ હવે તેના માટે સારા સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ તેને નેટમાં બોલિંગ ફરી શરૂ કરી દીધી છે. ક્રિકેટરની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે મથિશા પથિરાના એપ્રિલના મધ્ય સુધીમાં IPL માટે ભારતનો પ્રવાસ કરશે. શ્રીલંકા ક્રિકેટ આવતા અઠવાડિયે તેના માટે ફિટનેસ ટેસ્ટ કરાવે તેવી અપેક્ષા છે, પરંતુ કોઈ સત્તાવાર તારીખ નક્કી કરવામાં આવી નથી.
વાનિંદુ હસરંગાએ હજુ સુધી NOC માટે વિનંતી પણ કરી નથી
આ દરમિયાન IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ રહેલા હસરંગા અંગેના સમાચાર સારા નથી. મીડિયા રિપોર્ટ મુજબ એવી આશા ઓછી છે કે તે ટૂંક સમયમાં મેદાનમાં પાછા ફરી શકશે. શ્રીલંકાના મીડિયા રિપોર્ટ મુજબ વાનિંદુ હસરંગાએ હજુ સુધી NOC માટે વિનંતી પણ કરી નથી.
મથિશા પથિરાનાની અપડેટ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સારા સમાચાર છે. તેમની શરૂઆત સારી રહી નથી, તેઓ તેમની પહેલી બે મેચ હારી ગયા છે અને ત્રીજી મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે.
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો