IPL 2026ની આગામી સીઝન હવે 28 માર્ચથી શરૂ થશે. BCCI એ જાહેરાત કરી છે કે પહેલી મેચ 28 માર્ચે રમાશે. તે દિવસે RCB અને SRH બેંગલુરુમાં એકબીજા સામે ટકરાશે.


આ દરમિયાન કેટલાક ખેલાડીઓ સીઝન શરૂ થાય તે પહેલાં તેમની ટીમમાં જોડાવામાં મોડું કરી રહ્યા છે, જે ટીમો માટે મુશ્કેલીઓ વધારી રહ્યું હોય તેવું લાગે છે. હાલમાં બે ટીમોને ઝટકો લાગતો જોવા મળે છે. એવું જાણવા મળ્યું છે કે 2 ખેલાડીઓ તેમની ટીમમાં મોડા જોડાશે.

પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ શરૂઆતની મેચ નહીં રમે!

ઈન્ડિયન પ્રીમિયર લીગની તારીખોની જાહેરાત સાથે, ટીમોએ તેમના કેમ્પ શરૂ કરી દીધા છે. આ કેમ્પ તે સ્થળોએ ગોઠવવામાં આવી રહ્યા છે જ્યાં તેમની ટીમો સિઝનની તેમની પહેલી મેચ રમશે. આ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન અને શાનદાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ તાત્કાલિક ટીમમાં જોડાશે નહીં. તેમના આગમનમાં વિલંબ થવાની ધારણા છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ મુજબ આરસીબીનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ પણ સિરીઝની શરૂઆતની મેચો ગુમાવશે.

સનરાઈઝર્સ હૈદરાબાદને શોધવો પડશે નવો કેપ્ટન

આ દરમિયાન સૌથી મોટું ટેન્શન SRH માટે રહેશે. પેટ કમિન્સ માત્ર ટીમનો મેચ વિનર ફાસ્ટ બોલર જ નથી, પરંતુ તે ટીમનો કેપ્ટન પણ છે. આનો અર્થ એ છે કે ટીમ શરૂઆતની કેટલીક મેચો માટે કેપ્ટન વિના રહેશે. આવી પરિસ્થિતિમાં ટીમને નવો કેપ્ટન શોધવો પડશે.

પરંતુ નવો કેપ્ટન કોણ હશે તે અંગે ટીમ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઈશાન કિશન ટીમની કમાન સંભાળી શકે છે. પરંતુ ઈશાન કિશને ક્યારેય સિનિયર લેવલે કેપ્ટનશીપ કરી નથી, તે ઘરેલુ ક્રિકેટમાં તેની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આમ તેને કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

જોશ હેઝલવુડ વિના RCBની પણ વધી મુશ્કેલી

આ દરમિયાન RCBને જોશ હેઝલવુડ વગર કોઈ સમસ્યા તો નથી, પરંતુ બધા જાણે છે કે તેની ગેરહાજરીથી ટીમમાં તેનું સ્થાન કોણ લેશે તે જોવાનું રહેશે. જોશ હેઝલવુડ એક એવો બોલર છે જે ફક્ત થોડી ઓવરમાં જ મેચને પલટવામાં સક્ષમ છે. જો આ 2 ખેલાડીઓ ઉપલબ્ધ ન હોય તો ટીમમાં તેમના સ્થાને કોને સામેલ કરવામાં આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: