રિયાન પરાગે IPL 2026 દરમિયાન મળેલી ટીકા અને વ્યક્તિગત ટિપ્પણીઓ પ્રત્યે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પરાગે ટીવી કોમેન્ટેટર્સ અને ક્રિકેટ નિષ્ણાતોને ખેલાડીઓના અંગત જીવનને નિશાન બનાવવાને બદલે ફક્ત ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી.
જયપુરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સની 7 વિકેટની જીત બાદ રિયાન પરાગે કહ્યું કે આ સિઝનમાં ચર્ચા ક્રિકેટ કરતાં મેદાનની બહારની બાબતો વિશે વધુ છે. તેમને વધુમાં કહ્યું કે ખેલાડીઓ દરેક મેચ પહેલા ઘણા દિવસો તૈયારી કરે છે, પરંતુ કોઈનો પણ ખરાબ દિવસ આવી શકે છે.
રિયાન પરાગે કહ્યું કે "આખો દેશ ક્રિકેટને પ્રેમ કરે છે, અને અમે ખેલાડીઓ દરેક મેચમાં અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ જો કોઈ ટીમ 75-80 રનમાં ઓલઆઉટ થઈ જાય, તો તરત જ કહેવામાં આવે છે કે તેમને કેવી રીતે રમવું તે ખબર નથી અથવા તેમની માનસિકતા ખરાબ છે. લોકો એ જોતા નથી કે તેઓ મેચના 3-4 દિવસ પહેલા 200-250 રનની તૈયારી કરે છે."
'ક્રિકેટર પણ માણસો છીએ'
24 વર્ષના પરાગે કહ્યું કે ખેલાડીઓ પણ ભૂલો કરે છે અને તેમને થોડો આદર મળવો જોઈએ. તેમને ખાસ કરીને કોમેન્ટેટર્સ પર નિશાન સાધતા કહ્યું કે તેમના શબ્દો લાખો લોકો સુધી પહોંચે છે, તેથી તેમને જવાબદારીપૂર્વક બોલવું જોઈએ.
રિયાન પરાગે કહ્યું કે "અમે માણસ છીએ અને અમે પણ ભૂલો કરીએ છીએ. કોમેન્ટેટર્સનો અવાજ લોકો સુધી પહોંચે છે, તેથી હું તેમને વિનંતી કરીશ કે તેઓ ક્રિકેટને પ્રેમ કરે અને ફક્ત ક્રિકેટ વિશે જ વાત કરે... દેશની સૌથી મોટી રમત આદરને પાત્ર છે."
ડ્રેસિંગ રૂમમાં વેપિંગ કરતા પકડાયા બાદ રિયાન પરાગ આ સિઝનમાં ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે તેમનું નિવેદન તે વિવાદ અને સતત વ્યક્તિગત ટીકાનો સામનો કરવાના જવાબમાં આવ્યું છે.
'કીબોર્ડ વોરિયર્સ કોઈ વાંધો નથી'
રિયાન પરાગે કહ્યું કે છેલ્લા 4 વર્ષોમાં તેને સમજાયું છે કે તે ગમે તે કરે, ગપસપ ચાલુ રહેશે. પરંતુ હવે તે બહારના અવાજને અવગણવાનું શીખી ગયો છે.
રિયાન પરાગે કહ્યું કે "મને સમજાયું છે કે હું ગમે તે કરું, લોકો વાત કરશે. પરંતુ હવે હું એ પણ સમજી ગયો છું કે આ બાબતો મારી રમત, ફોર્મ અથવા માનસિકતાને અસર ન કરવી જોઈએ, કારણ કે કીબોર્ડ યોદ્ધાઓ બહારના હોય છે."
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?