ભારતીય ટીમ ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવાની તૈયારી કરી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમવાની છે, જેની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે.
સિરીઝમાં ફક્ત થોડા દિવસો બાકી છે, ત્યારે એક ખેલાડી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, જે ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક ઘટના છે. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ સતત બે મેચમાં નિષ્ફળ રહ્યો છે.
વિજય હજારે ટ્રોફી રમી રહ્યો છે કેએલ રાહુલ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. BCCIએ આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ સિરીઝ પહેલા ભારતીય ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યા છે. મંગળવારે જ્યારે કેએલ રાહુલ ટુર્નામેન્ટની પોતાની બીજી મેચ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે બધા ફેન્સનું ધ્યાન તેના પર હતું, કારણ કે તેને પહેલી ઈનિંગમાં એક પણ રન બનાવ્યો ન હતો. તેને બીજી ઈનિંગમાં પણ રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
કેએલ રાહુલ બે મેચમાં ફક્ત 60 રન જ બનાવી શક્યો
BCCIએ પહેલાથી જ જાહેરાત કરી દીધી હતી કે જસપ્રીત બુમરાહ સિવાય ભારત તરફથી રમનારા બધા ખેલાડીઓએ વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી બે મેચ રમવાની રહેશે.
જ્યારે કેએલ રાહુલ 3 જાન્યુઆરીએ પહેલી મેચમાં મેદાનમાં ઉતર્યો ત્યારે તેને ત્રિપુરા સામે ફક્ત 35 રન બનાવ્યા હતા. પછી જ્યારે તે 6 જાન્યુઆરીએ રાજસ્થાન સામે મેદાનમાં ઉતર્યો ત્યારે તે ફક્ત 25 રન બનાવીને આઉટ થયો હતો. આનો અર્થ એ થયો કે તેને 2 મેચમાં ફક્ત 60 રન બનાવ્યા છે. તે ત્રીજી મેચ રમશે કે નહીં તેની કોઈ જાણકારી નથી, પરંતુ તેનું સતત 2 મેચમાં નિરાશાજનક પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.
કેએલ રાહુલે ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં રમવાની પુષ્ટિ કરી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આગામી ODI સિરીઝ માટે BCCI ની ટીમમાં બે વિકેટકીપર-બેટ્સમેન સામેલ છે. કેએલ રાહુલ અને રિષભ પંતનું સિલેક્શન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કીપર-બેટ્સમેન તરીકે કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવન માટે પહેલી પસંદ હશે. રિષભ પંતને બેકઅપ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે કેએલ રાહુલ ન્યુઝીલેન્ડ સામે રમશે તે નિશ્ચિત છે, પરંતુ તેનું વર્તમાન ફોર્મ ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: Shikhar Dhawan સોફી શાઈન સાથે ટૂંક સમયમાં કરશે લગ્ન