સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 8 માર્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને રેકોર્ડ ત્રીજી વખત ટ્રોફી જીતી હતી.
આ ટુર્નામેન્ટમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા સહિત કેટલાક ભારતીય ખેલાડીઓના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બધાને અપેક્ષા હતી કે અભિષેક આ ટુર્નામેન્ટમાં ધૂમ મચાવશે, પરંતુ તે સતત 3 મેચમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો.
આ પછી અભિષેકને ઘણા ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો. પરંતુ અભિષેક શર્માએ બાદમાં શાનદાર વાપસી કરી અને ફાઈનલ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. હવે અભિષેક શર્માએ ખુલાસો કર્યો છે કે સતત 3 ડક આઉટ થયા પછી તેને શુભમન ગિલને મેસેજ કર્યો હતો.
નંબર 1 T20 બેટ્સમેનને કોણ સલાહ આપી શકે?
BCCIએ 15 માર્ચે દિલ્હીમાં નમન એવોર્ડ્સનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા. આ જ એવોર્ડ સેરેમનીમાં જ્યારે શુભમન ગિલને પૂછવામાં આવ્યું કે શું તેને T20 વર્લ્ડકપ શરૂ થતાં પહેલાં અભિષેક શર્માને કોઈ સલાહ આપી હતી, ત્યારે ગિલે જવાબ આપ્યો કે "નંબર 1 T20 ઈન્ટરનેશનલ બેટ્સમેનને કોણ સલાહ આપી શકે?"
અભિષેક શર્માએ પછી કહ્યું કે "ટૂર્નામેન્ટની શરૂઆતમાં સતત ત્રણ ડક આઉટ થયા પછી મેં ગિલને મેસેજ કર્યો હતો, અને કહ્યું હતું કે બીજો રેકોર્ડ બને તે પહેલાં મને બેટ આપે."
શુભમને કહ્યું કે તું કરી લઈશ
અભિષેક શર્માએ પછી ખુલાસો કર્યો કે શુભમન ગિલે તેને જવાબમાં મેસેજ કર્યો કે "તું કરી લઈશ." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેને કોના બેટથી રમવાનું સૌથી વધુ ગમે છે, ત્યારે અભિષેકે જવાબ આપ્યો, "શુભમન ગિલનું બેટ." ગિલે જવાબ આપ્યો કે "તે હંમેશા મારા બેટથી રમે છે." તમને જણાવી દઈએ કે શુભમન ગિલ અને અભિષેક શર્મા બાળપણના મિત્રો રહ્યા છે અને બંને સ્થાનિક ક્રિકેટમાં પંજાબ માટે રમે છે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!