ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2026ની શરૂઆત જીત સાથે કરી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે યુનાઈટેડ સ્ટેટ્સને હરાવીને તેના અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ એક સમયે પ્રથમ બેટિંગ કરતી વખતે ટીમ ઈન્ડિયા ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતી. ટીમે માત્ર 77 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.


પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવની 84 રનની ઈનિંગે ટીમનું સન્માન બચાવ્યું. આ જ કારણ છે કે જીત છતાં સુનીલ ગાવસ્કરે ભારતીય બેટ્સમેનોને સખત ઠપકો આપ્યો છે. સુનીલ ગાવસ્કર કહ્યું કે આવી બેદરકારી ટીમ ઈન્ડિયાને ટુર્નામેન્ટમાં વધુ ખર્ચાળ સાબિત થઈ શકે છે.

સુનીલ ગાવસ્કર બેટ્સમેન પર ગુસ્સે થયા

મીડિયા શોમાં બોલતા સુનિલ ગાવસ્કરે કહ્યું કે "160 રન બનાવવા સરળ ન હતા, પરંતુ આખરે 30 રનથી જીત મેળવવી સારી વાત છે. પરંતુ આ મેચમાંથી શીખવા માટે ઘણા બધા પાઠ છે. હા, તમારી પાસે બેટિંગ ક્રમમાં ઊંડાણ છે અને આઠ બેટ્સમેન છે. પરંતુ જો તે 8 બેટ્સમેનમાંથી 4 પ્રથમ 7 થી 8 ઓવરમાં આઉટ થઈ જાય, તો તમારી સમસ્યાઓ વધી શકે છે, ખાસ કરીને જ્યારે તમે એક મજબૂત અને અનુભવી ટીમનો સામનો કરી રહ્યા હોવ."

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે આગળ કહ્યું કે "6 ઓવરનો પાવરપ્લે હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે તે સમય દરમિયાન 4 વિકેટ ગુમાવવી જોઈએ. આમ કરવાથી તમે ફક્ત મુશ્કેલીમાં મુકાઈ જશો." સુનીલ ગાવસ્કરે કહ્યું કે વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં દરેક ટીમ પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરે છે.

સ્ટાર બેટ્સમેન ગયા ફ્લોપ

અભિષેક શર્મા અને શિવમ દુબે યુએસએ સામે ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. ઈશાન કિશન, રિંકુ સિંહ અને હાર્દિક પંડ્યા પણ બેટિંગમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા. પરંતુ કેપ્ટન સૂર્યાએ શાનદાર બેટિંગ કરતા 49 બોલમાં 84 રન ફટકાર્યા, જેનાથી ટીમ ઈન્ડિયાનો કુલ સ્કોર 161 રન સુધી પહોંચ્યો.

આ પણ વાંચો: Pakistanની શાન આવી ઠેકાણે, ભારત સામે રમશે મેચ! શ્રીલંકાના આગ્રહ પર PCB સરકાર સાથે કરશે વાત



  • Follow us on: