ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપ 2026ના સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ આ જીત વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જે ખરેખર નિરાશાજનક છે. બેટિંગ કોચ સિતાંશુ કોટકને રિંકુ સિંહના પિતાના મૃત્યુને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જે ખરેખર અમાનવીય છે.


આ સવાલે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. ઘણા વરિષ્ઠ રમત પત્રકારો પણ તેની સખત નિંદા કરી રહ્યા છે. આ સવાલ રિંકુ સિંહના પિતાના મૃત્યુને લઈને પૂછવામાં આવ્યો હતો. જાણો શું છે સમગ્ર મામલો.

આ સવાલ રિંકુ સિંહના પિતાના મૃત્યુને લઈને પૂછવામાં આવ્યો

રિંકુ સિંહના પિતાનું T20 વર્લ્ડકપ 2026 દરમિયાન કેન્સરથી પીડાતા અવસાન થયું હતું. આ દરમિયાન વેસ્ટ ઈન્ડીઝ સામેની T20 મેચ પહેલા એક પ્રખ્યાત પત્રકારે બેટિંગ કોચ સિતાંશુ કોટકને ખૂબ જ અભદ્ર સવાલ પૂછ્યો. પત્રકારે પૂછ્યું છે કે "શું રિંકુ સિંહના પિતાનું મૃત્યુ આશીર્વાદ છે?" આ સવાલ સાંભળીને સિતાંશુ કોટક ચોંકી ગયા, અને વિચાર્યું કે આટલો અમાનવીય પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય.


ઘણા પ્રખ્યાત ભારતીય રમત પત્રકારોએ આ સવાલની નિંદા કરી છે અને વિરોધ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પત્રકાર ફૂટબોલને કવર કરે છે અને આવા સવાલો પૂછવા માટે ટેવાયેલા છે. એવું માનવામાં આવે છે કે BCCI હવે આ પત્રકાર સામે કાર્યવાહી કરી શકે છે.

રિંકુ સિંહ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર

રિંકુ સિંહની વાત કરીએ તો આ T20 વર્લ્ડકપમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નહીં. તેને યુએસએ સામે ફક્ત 6 રન બનાવ્યા. તેને નામિબિયા સામે 1 રન બનાવ્યા. તે પાકિસ્તાન સામે 11 રન અને નેધરલેન્ડ સામે 6 રન બનાવીને અણનમ રહ્યો. રિંકુ સાઉથ આફ્રિકા સામે ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, અને ત્યારથી તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. રિંકુ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચોમાં રમ્યો ન હતો. ઝિમ્બાબ્વે મેચ પછી તેના પિતાનું અવસાન થયું.

આ પણ વાંચો: Team Indiaએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં કરી એન્ટ્રી

  • Follow us on: