• IPL 2024ની 22મી મેચ CSK અને KKR વચ્ચે રમાશે
  • KKRએ આ IPL સિઝનમાં રમાયેલી ત્રણેય મેચ જીતી
  • CSKનો બોલર મથિશા પથિરાના શાનદાર ફોર્મમાં છે

IPL 2024ની 22મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ મેચ ઘણી મહત્વની છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ છેલ્લી 2 મેચ હારી ચૂકી છે, તેથી જો CSK પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ઈચ્છે છે તો તેને આજની મેચ જીતવી પડશે. નોંધનીય છે કે KKR ટીમ શાનદાર ફોર્મમાં છે. KKRએ આ IPL સિઝનમાં રમાયેલી ત્રણેય મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ચેન્નાઈને આ મેચ જીતવી હશે તો ખાસ રણનીતિ બનાવવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. એક ઘાતક ખેલાડી કોલકાતા સામે CSK માટે કમબેક કરી શકે છે. આ સાથે ચેન્નાઈની ટીમ વધુ મજબૂત બનશે.


સ્ટાર ખેલાડી CSKમાં કરશે વાપસી

તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાસ્ટ બોલર મથિશા પથિરાના શાનદાર ફોર્મમાં છે. તેણે દિલ્હી કેપિટલ્સ સામે 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેણે ગુજરાત ટાઇટન્સ સામે 4 ઓવરમાં 29 રન આપીને એક વિકેટ પણ લીધી હતી. ચેન્નાઈની ટીમને આશા હતી કે ચોથી મેચમાં પણ પથિરાનાને સમર્થન મળશે, પરંતુ તે ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો હતો. તે આરસીબી સામે પ્રથમ મેચ રમ્યો ન હતો, ત્યારબાદ પથિરાના ચોથી મેચમાંથી પણ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે મથિશા પથિરાના કોલકાતા સામે મેચ રમતી જોવા મળી શકે છે. જો તે પાછો ફરશે તો તે ફરીથી તેના જૂના રંગમાં જોવા મળશે. આનાથી કોલકાતા માટે ચેન્નાઈ સામે જીત નોંધાવવી આસાન નહીં બને.


મુસ્તફિઝુરની પણ થઇ વાપસી

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક નહીં પરંતુ 2 સારા સમાચાર છે. મથિશા પથિરાના ઈજામાંથી વાપસી કરી શકે છે, આ સિવાય બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન પણ વાપસી કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કોલકાતા સામે ચેન્નાઈના બંને અમૂલ્ય રત્નોની વાપસી કોલકાતા સામેની મેચમાં ઘણી તાકાત આપશે. મુસ્તફિઝુર રહેમાન ICC T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને વિઝા માટે પોતાના દેશ બાંગ્લાદેશ પરત ફર્યો હતો, પરંતુ હવે તે પણ ચેન્નાઇ સાથે જોડાયો છે. જો કોલકાતા આઈપીએલ 2024માં પોતાનો દબદબો જાળવી રાખવા માંગે છે તો તેણે આ બે ઝડપી બોલરોથી સાવધાન રહેવું પડશે.

  • Follow us on: