• ટી20 વર્લ્ડ કપ 2024માં શ્રીલંકન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું
  • વાનિંદુ હસરંગાની કેપ્ટન્સીમાં રમવા આવેલી શ્રીલંકાની ટીમની સફર ગ્રુપ સ્ટેજથી જ પૂર્ણ થઈ હતી
  • ટીમના હેડ કોચે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે

ટી-20 વર્લ્ડ કપ 2024માં ઘણી ટીમોની સફર પૂરી થઈ રહી છે ત્યારે મોટાભાગની ટીમોમાં કોચિંગ સ્ટાફથી લઈને ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. હવે તેમાં શ્રીલંકન ટીમનું નામ પણ જોડાયું છે, જેમાં ટીમના હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે ગ્રુપ સ્ટેજમાંથી ટીમની બહાર થયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ સિવાય શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મહેલા જયવર્ધને કે જેઓ સલાહકાર કોચનું પદ સંભાળી રહ્યા હતા તેમણે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સિલ્વરવુડે પોતાના નિર્ણય પાછળ અંગત કારણો દર્શાવ્યા છે.

શ્રીલંકા ક્રિકેટે સિલ્વરવુડનું નિવેદન જાહેર કર્યું

ક્રિસ સિલ્વરવુડના કાર્યકાળ દરમિયાન શ્રીલંકાની ટીમે 2022 એશિયા કપમાં વિજય સહિત ઘણી મહત્વપૂર્ણ જીત હાંસલ કરી હતી. આ સિવાય ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે વનડે સિરીઝ અને બાંગ્લાદેશમાં ટેસ્ટ પ્રવાસ જીત્યો હતો. ટીમ 2023ના એશિયા કપની ફાઈનલમાં પહોંચવામાં પણ સફળ રહી હતી. શ્રીલંકાની ટીમ વર્ષ 2022 અને 2024માં રમાયેલા ટી20 વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવામાં સફળ રહી હતી અને 2023 વનડે વર્લ્ડ કપમાં પણ શ્રીલંકાની ટીમનું ખૂબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું.

જાણો નિવેદનમાં શું કહ્યું

ક્રિસ સિલ્વરવુડના નિર્ણય વિશે માહિતી આપતાં શ્રીલંકા ક્રિકેટે પણ પોતાનું નિવેદન જાહેર કર્યું જેમાં સિલ્વરવુડે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ટીમના કોચ હોવાના કારણે તમારે લાંબા સમય સુધી તમારા પરિવારથી દૂર રહેવું પડશે. મારા પરિવાર સાથે લાંબી ચર્ચા કર્યા પછી, મેં હવે નક્કી કર્યું છે કે હું ઘરે પરત ફરવા માંગુ છું. શ્રીલંકન ક્રિકેટનો હિસ્સો બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે અને મારી સાથે ઘણી સારી યાદો રહેશે.

જયવર્દનેએ સલાહકાર કોચનું પદ પણ છોડ્યું

વર્ષ 2022માં શ્રીલંકન ક્રિકેટ ટીમના સલાહકાર કોચનું પદ સંભાળનાર મહેલા જયવર્ધનેએ પણ ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ પોતાનું પદ છોડી દીધું છે. શ્રીલંકા ક્રિકેટે જયવર્ધનેની વિદાયની જાહેરાત કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન, જયવર્ધનેએ રાષ્ટ્રીય ટીમની ઈકોસિસ્ટમ અને ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રના માળખામાં નોંધપાત્ર ફેરફારોને અમલમાં લાવવામાં મદદ કરી હતી. શ્રીલંકા ક્રિકેટ મહેલા જયવર્ધનેને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવા અને તેમના કાર્યકાળ દરમિયાન તેમની સેવાઓ માટે આભાર વ્યક્ત કરે છે.

  • Follow us on: