• IPLની 29મી મેચ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાશે
  • ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સાઈમન ડોલે કર્યો દાવો
  • કપ્તાન હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફિટ નથી: સાઈમન ડોલ

IPL 2024ની 29મી મેચમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. એક સમાચાર સામે આવ્યા હતા કે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં તે બોલિંગ કરી રહ્યો નથી. આઈપીએલ વચ્ચે ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સાઈમન ડોલે દાવો કર્યો છે કે હાર્દિક ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. જોકે, આ મામલે ફ્રેન્ચાઈઝી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

હાર્દિકની ગેરહાજરીમાં કોણ બનશે કેપ્ટન?

જો હાર્દિકની ઈજા ગંભીર છે તો તે આજની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાંથી બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે હાર્દિકની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સની કમાન કોણ સંભાળશે. શું રોહિત શર્મા ફરી એકવાર MIનું નેતૃત્વ કરી શકે છે? જો કે, આવું થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. હાર્દિકની ગેરહાજરીમાં અનુભવી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ MIની કમાન સંભાળતો જોવા મળી શકે છે.

સાઈમને કહ્યું કે હાર્દિક ઈજાગ્રસ્ત

સાઈમને કહ્યું હતું કે હાર્દિક પંડ્યાએ IPL 2024ની તેની પ્રથમ મેચમાં 3 ઓવર ફેંકી હતી. બીજી મેચમાં તેણે 4 ઓવર ફેંકી હતી, પરંતુ પછી ત્રીજી અને ચોથી મેચમાં તેણે એક પણ ઓવર ફેંકી ન હતી. ત્યાર બાદ 5મી મેચમાં પણ તેણે માત્ર એક ઓવર ફેંકી હતી. હું તમને કહું છું, તેને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત થયા બાદ પણ તે રમી રહ્યો છે. જો તે ફિટ હોત તો ચોક્કસપણે બોલિંગ માટે આવ્યો હોત.

MIએ 2 મેચ જીતી

IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. આ પછી હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હાર્દિકની કેપ્ટનશીપમાં MIની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમને તેની પ્રથમ 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે મુંબઈએ વાપસી કરી અને સતત 2 મેચ જીતી લીધી.

  • Follow us on: