• રાજસ્થાન સામેની મેચમાં પણ ઈજાના કારણે રહ્યા બહાર
  • શિખરની ગેરહાજરીમાં સૈમ કર્રને સંભાળી કેપ્ટનશીપ
  • 7-10 દિવસ સુધી રહી શકે છે ટીમથી બહાર

પંજાબ કિંગ્સને હાલમાં ડબલ ઝટકો લાગ્યો છે. ટીમે છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સની સામે રમી હતી. તેમાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો. હવે પંજાબના કેપ્ટન શિખર ધવનને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન રોયલ્સની સામે રમાયેલી મેચમાં ધવન ઈજાના કારણે ટીમથી બહાર રહ્યા હતા. હવે સામે આવેલા નવા અપડેટથી ખ્યાલ આવે છે કે ધવન ફક્ત એક મેચ નહીં પણ આવનારી અનેક મેચમાંથી બહાર રહી શકે છે.

શિખરની ગેરહાજરીમાં સૈમ કર્રને સંભાળી કેપ્ટનશીપ

રાજસ્થાનની સામે સૈમ કર્રને ધવનની ગેરહાજરીમાં પંજાબ કિંગ્સની કમાન સંભાળી રહી. ધવનની ઈજાના કારણે પંજાબ કિંગ્સના હેડ ઓફ ક્રિકેટ ડેવલપમેન્ટ સંજય બાંગરે કહ્યું અમે તેમને મિસ કર્યા કેમકે ખભાની ઈજા હતી. હું કહીશ કે તે આવનારી કેટલીક મેચમાં બહાર રહી શકે છે. અમારે રાહ જોવી પડશે અને જોવાનું રહેશે કે તે ટ્રીટમેન્ટ પર કેવું રિએક્શન આપે છે. પણ હાલમાં એવું લાગી રહ્યું છે કે તે આવનારા 7-10 દિવસ સુધી બહાર રહી શકે છે. 10 દિવસ બાદ પંજાબ તેના ઘરેલૂ મેદાનમાં રમશે. પહેલી મેચ 18 એપ્રિલ ગુરુવારે અને પછીની મેચ ગુજરાત ટાઈટન્સની સામે 21 એપ્રિલે રવિવારે યોજાશે.

પંજાબની સ્થિતિ ઘણી ખરાબ

ઉલ્લેખનીય છે કે હાલની સીઝનમાં પંજાબની સ્થિતિ ઘણી ખરાબ છે. ટીમે સીઝનમાં 6 મેચ રમી છે અને 2 જીતી છે. ટીમે જીત સાથે આઈપીએલ 2024ની શરૂઆત કરી હતી. મેચમાં પંજાબે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટે હરાવ્યું તો અન્ય 2 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સને માટે ખોવી. આ પછીની મેચમાં ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવી હતી. આ પછી અન્ય 2 મેચમાં ટીમને હૈદરાબાદ અને રાજસ્થાનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.  

  • Follow us on: