- છેલ્લા ચાર વર્ષમાં નં.4 પર ઘણા ખેલાડીઓ બેટિંગ કરી છે
- શ્રેયસ અય્યર સંપૂર્ણ રીતે ફિટ ન હોવાથી નં.4 પર પ્રશ્ન
- જેના પર શિખર ધવને પોતાનો અભિપ્રાય આપ્યો છે
છેલ્લા વર્લ્ડ કપની જેમ આ વખતે પણ ટીમ ઈન્ડિયા માટે ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે. છેલ્લા ચાર વર્ષમાં ઘણા બેટ્સમેનોએ આ સ્થાન પર બેટિંગ કરી છે, પરંતુ શ્રેયસ અય્યર સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે, ફરી એકવાર આ પ્રશ્ન ભારતીય મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્મા માટે માથાનો દુખાવો બની ગયો છે.
વિજય શંકર છેલ્લા વર્લ્ડ કપમાં નં.4 પર ફ્લોપ રહ્યો
વિજય શંકરને ગત વર્લ્ડ કપ માટે ચોથા નંબર પર પસંદ કરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. ત્યારથી ઘણા બેટ્સમેન આ નંબર પર રમ્યા છે. શ્રેયસ અય્યરે ચોથા નંબર પર સારી બેટિંગ કરી છે, પરંતુ તે હજુ પણ ઈજાગ્રસ્ત છે અને ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં જો અય્યર ફિટ નથી તો ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે, આ સૌથી મોટો પ્રશ્ન છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સિનિયર ઓપનર શિખર ધવને ચોથા નંબર માટે પોતાની પ્રથમ પસંદગી આપી છે.
અનુભવી ખેલાડી જ આ ભૂમિકા નિભાવી શકે: શિખર
ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલા શિખર ધવનને લાગે છે કે જો શ્રેયસ અય્યર સંપૂર્ણપણે ફિટ નથી તો સૂર્યકુમાર યાદવને ચોથા નંબર પર તક મળવી જોઈએ. તેનું માનવું છે કે સૂર્યકુમાર જેવો અનુભવી ખેલાડી જ આ ભૂમિકા નિભાવી શકે છે.
ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ધવને કહ્યું, "હું સૂર્યકુમારની સાથે ચોથા નંબર માટે જઈશ, કારણ કે તે એક અનુભવી ખેલાડી છે અને લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે."
શ્રેયસ વાપસી કરે તો નં. 4 પર રમશે
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સંજુ સેમસને પણ ચોથા નંબર પર બેટિંગ કરી હતી અને રન બનાવ્યા હતા, પરંતુ બધાનું માનવું છે કે જો શ્રેયસ અય્યર ટીમમાં વાપસી કરશે તો તે ચોથા નંબર પર બેટિંગ કરશે. જોકે વર્લ્ડ કપની ટીમમાં અય્યરનો વિકલ્પ પણ પસંદ કરવો પડશે. આવી સ્થિતિમાં જોવાનું એ છે કે ચોથા નંબર પર ઐયરના વિકલ્પ તરીકે કોની પસંદગી થાય છે.