• સુપર 8માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે
  • ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું છે
  • આ મેચમાં વરસાદનો પડછાયો છવાયેલો છે

T20 વર્લ્ડકપ 2024ના સુપર 8માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું છે. હવે આ મેચ જીતીને ભારતની નજર સેમિફાઇનલની નજીક જવા પર રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. જો કે આ મેચમાં વરસાદનો પડછાયો છવાયેલો છે.

મેચ દરમિયાન પડી શકે છે વરસાદ

ટી-20 વર્લ્ડકપમાં ભારત એક પણ વખત બાંગ્લાદેશ સામે હાર્યું નથી. 2022 T20 વર્લ્ડકપમાં ભારતે ડકવર્થ લુઈસ હેઠળ 5 રને મેચ જીતી હતી. એન્ટિગુઆમાં રમાઈ રહેલી આ મેચમાં પણ વરસાદની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. મેચ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.


જો મેચ રદ થશે તો શું થશે?

આ વખતે વર્લ્ડકપમાં સુપર-8 મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં જો ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ્દ થાય છે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. ભારત ત્રણ પોઈન્ટ સાથે તેના ગ્રુપમાં ટોચ પર રહેશે પરંતુ સેમિફાઈનલમાં પહોંચવાની તેની આશાને આંચકો લાગી શકે છે. આવી સ્થિતિમાં જો ભારત સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવવા ઈચ્છે છે તો તેને કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે.


  • Follow us on: