સરફરાઝ ખાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. સરફરાઝ ખાને 195 બોલમાં 150 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 18 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, સરફરાઝ ખાનની સદીએ શુભમન ગિલની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. અગાઉ સરફરાઝ ખાનને શુભમન ગિલ અને કેએલ રાહુલને કારણે પ્લેઈંગ ઈલેવનમાં ઓછી તક મળી હતી, પરંતુ હવે શુભમન ગિલને કપાશે? જો કે શુભમન ગિલનું પ્રદર્શન નંબર 3 પર સારું રહ્યું છે, પરંતુ સરફરાઝ ખાનની સદી બાદ બેટિંગ ઓર્ડરમાં ફેરફાર શક્ય છે.


સરફરાઝની સદીથી ગિલનું ટેન્શન વધ્યું

શુભમન ગિલ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ સરફરાઝ ખાનને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે સરફરાઝ ખાને નંબર-4 પર બેટિંગ કરી હતી. શુભમન ગિલ ત્રીજા નંબરે બેટિંગ કરી રહ્યો છે. શુભમન ગિલની ગેરહાજરીમાં વિરાટ કોહલી નંબર-3 પર રમ્યો હતો. સરફરાઝ ખાન પ્રથમ દાવમાં ખાતું ખોલાવી શક્યો ન હતો, પરંતુ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. હવે સરફરાઝ ખાનની સદી બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શુભમન ગિલને બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં મળે?


ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે ભારતીય ટીમ

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં નંબર 3 પર કોને અજમાવવામાં આવે છે? શું ચેતેશ્વર પૂજારા ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરશે કે શુભમન ગિલ ત્રીજા નંબર પર રમશે? ભારતીય બેટિંગ ક્રમમાં કેટલો બદલાવ આવશે તે તો સમય જ કહેશે, પરંતુ સરફરાઝ ખાનેQ સદી ફટકારીને શુભમન ગિલની મુશ્કેલીઓ વધારી દીધી છે.


  • Follow us on: