ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ખરાબ બેટિંગ બાદ હવે ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાના કારણે મેદાનની બહાર થઈ ગયો છે. વાસ્તવમાં પંતને વિકેટ કીપિંગ દરમિયાન આ ઈજા થઈ હતી. જોકે ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી.


ધ્રુવ જુરેલ કરી રહ્યો છે વિકેટકીપિંગ

ઈજા બાદ પંત ચાલી શકતો ન હતો, જેના કારણે તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને વિકેટકીપિંગ માટે મેદાન પર બોલાવવામાં આવ્યો હતો. પંતની ઈજાને કારણે હવે ટીમ ઈન્ડિયાનું ટેન્શન થોડું વધી ગયું છે. જો કે પંતની ઈજા અંગે હજુ સુધી વધુ માહિતી સામે આવી નથી.


રિષભ પંતને થઈ ઈજા

વાસ્તવમાં આ ઘટના 37મી ઓવરના છેલ્લા બોલ પર બની હતી, રવિન્દ્ર જાડેજા દ્વારા ફેંકવામાં આવેલો બોલ ઝડપથી ફરતો હતો અને તેના ઘૂંટણની કિનારે અથડાયો હતો. ડિસેમ્બર 2022 થી મેદાનની બહાર રહ્યા પછી, આ ડાબા હાથના ખેલાડીએ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ શ્રેણીમાં ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું અને આ શ્રેણીમાં પંતે શાનદાર પ્રદર્શન કર્યું અને સદી પણ ફટકારી હતી.


ન્યુઝીલેન્ડની પકડ મજબૂત

બેંગલુરુ ટેસ્ટ પર કિવી ટીમની પકડ મજબૂત જોવા મળી રહી છે. ભારતને માત્ર 46 રનમાં આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડની બેટિંગ સારી ચાલી રહી છે. હાલમાં કિવી ટીમ પાસે 100થી વધુ રનની લીડ છે.

  • Follow us on: