- રૂતુરાજ ગાયકવાડ ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
- ગાયકવાડને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બીજી વનડેમાંમાં થયો ઇજાગ્રસ્ત
- ઋતુરાજની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનનો સમાવેશ કરાયો
ભારતના ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ ઈજાના કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે, 23 ડિસેમ્બરના રોજ સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને તેની પુષ્ટિ કરી હતી. ઋતુરાજની જગ્યાએ અભિમન્યુ ઇશ્વરનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ગાયકવાડને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ગકેબરહા ખાતે રમાયેલી બીજી વનડેમાં ફિલ્ડિંગ કરતી વખતે જમણી આંગળીમાં ઈજા થઈ હતી. બીસીસીઆઈએ કહ્યું કે બેટ્સમેનને સ્કેનિંગ માટે લઈ જવામાં આવ્યા છે. તે ભારત જશે અને બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ને રિપોર્ટ કરશે. BCCIએ બંગાળના ઓપનિંગ બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરનને રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે.













