- ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે
- કામિન્દુ મેન્ડિસ અને ધનંજય છેલ્લી ઓવરમાં રનઆઉટ
- આ મેચમાં શ્રેયસ ઐયરે શાનદાર રનઆઉટ કર્યો હતો
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં જ શ્રીલંકાના બે બેટ્સમેન રનઆઉટ થયા હતા. કામિન્દુ મેન્ડિસ અને અકિલા ધનંજય છેલ્લી ઓવરમાં રનઆઉટ થયા હતા. આ ઓવરમાં શ્રેયસ ઐયરના રોકેટ થ્રોથી કામિન્દુ મેન્ડિસની ઇનિંગ્સનો અંત આવ્યો હતો. ઐયરનો થ્રો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
શ્રેયસ ઐયરનો રોકેટ થ્રો













