- શ્રીલંકા સામે 27 જુલાઈથી T20 અને ODI સિરીઝ શરૂ થશે
- રોહિત શર્મા આ સિરીઝમાં રચી શકે છે ઈતિહાસ
- રોહિત 3 છગ્ગા ફટકારીને વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની જશે
શ્રીલંકા સામે 27 જુલાઈથી ક્રિકેટ સિરીઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા આ સિરીઝમાં ઈતિહાસ રચી શકે છે. ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે 3 T20 અને 3 ODI મેચોની સીરીઝ રમશે. રોહિત શર્મા ODI મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે સૂર્યકુમાર યાદવ ટી-20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. રોહિત શર્મા 2 ઓગસ્ટે શ્રીલંકા સામે શ્રેણીની પ્રથમ વનડે રમશે. તે આ મેચમાં જ નવો રેકોર્ડ બનાવી શકે છે.
3 છગ્ગા ફટકારીને વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની જશે












