• ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 અને ODI સિરીઝ રમાશે
  • વનડે સિરીઝ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી કોલંબો પહોંચ્યા
  • કોલંબોમાં વરસાદના કારણે ટીમ ઈન્ડિયાનું પહેલું પ્રેક્ટિસ સેશન રદ્દ

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે અને 3 મેચની T20 સિરીઝ રમી રહી છે. જેમાં ભારતીય ટીમે 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ 2 થી 7 ઓગસ્ટ દરમિયાન શ્રીલંકામાં ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ અને હર્ષિત રાણા કોલંબો પહોંચી ગયા છે.

રોહિત અને વિરાટે ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે બાકીના ખેલાડીઓ ટી20 ટીમનો ભાગ નથી. ODI સિરીઝ માટે ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જે T20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો પણ ભાગ છે. રોહિત અને વિરાટે T20 વર્લ્ડકપ 2024નું ટાઈટલ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી, તેથી બંને T20 વર્લ્ડકપ પછી ટૂંકા વિરામ બાદ પરત ફર્યા છે.

વરસાદના કારણે પ્રેકટીસ સેશન રદ્દ

એક રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમના નવા સહાયક કોચ અભિષેક નાયર પણ કોલંબો પહોંચ્યા છે, જેમની દેખરેખ હેઠળ રોહિત શર્મા સહિત વનડે ટીમના બાકીના ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે. કોલંબોમાં વરસાદના કારણે ટીમ ઈન્ડિયાના પહેલા દિવસનું પ્રેક્ટિસ સેશન શરૂ થઈ શક્યું ન હતું. T20 સિરીઝ પલ્લેકલેમાં રમાઈ રહી છે, જ્યારે ODI સિરીઝની ત્રણેય મેચ કોલંબોમાં રમવાની છે.

આ ખેલાડીઓ ભારત પરત ફરશે

કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઈ સહિતના જે ખેલાડીઓ ODI ટીમનો ભાગ નથી તેઓ T20 સિરીઝ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયા છોડી દેશે, જ્યારે બાકીના ખેલાડીઓ જે ODI સિરીઝનો ભાગ છે તેઓ પલ્લેકેલેથી કોલંબો પહોંચશે.


  • Follow us on: