• ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ શ્રીલંકાનો પ્રવાસ કરશે
  • અહીં ટીમ ઈન્ડિયા T-20 અને ODI સિરીઝ રમશે
  • BCCIએ શિડ્યૂલમાં કર્યો ફેરફાર

ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ બાદ શ્રીલંકાનો પ્રવાસ કરશે. અહીં ટીમ ઈન્ડિયા 3 મેચની T-20 સિરીઝ અને એટલી જ મેચોની ODI સિરીઝ રમશે. આ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. હાલમાં ટીમની રાહ જોવાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસમાં હાર્દિક પંડ્યાને T-20 અને KL રાહુલને ODIની કેપ્ટન્સી આપવામાં આવી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ પ્રવાસ માટેનું શિડ્યૂલ પહેલેથી જ જાહેર કરી દીધું હતું. શનિવારે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે

BCCIએ સત્તાવાર જાહેરાત કરીને આ જાણકારી આપી છે. નવા શિડ્યૂલ મુજબ હવે T-20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થશે. અગાઉ તે 26મી જુલાઈએ એક દિવસ વહેલા શરૂ થવાની હતી. હવે તેની શરૂઆત 27 જુલાઈથી કરવામાં આવશે. બીજી મેચ 28 જુલાઈના બદલે 29 જુલાઈએ અને ત્રીજી મેચ 29 જુલાઈના બદલે 30 જુલાઈએ રમાશે. તેવી જ રીતે વનડે સિરીઝના શિડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.


2 ઓગસ્ટથી વનડે સિરીઝ

હવે 2 ઓગસ્ટથી વનડે સિરીઝની મેચો શરૂ થશે. બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. શરૂઆતમાં વનડે સિરીઝ 1 ઓગસ્ટથી શરૂ થવાની હતી. બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટના રોજ રમાવાની હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. BCCI અનુસાર, T-20 સિરીઝની મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે અને ODI સિરીઝની મેચો બપોરે 2.30 વાગ્યે રમાશે.

  • Follow us on: