- ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને 3-0થી હરાવીને સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યુ
- આ જીત બાદ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના વખાણ થયા
- મેચ જીત્યા પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરીથી નિવેદન આપ્યું
ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી અને છેલ્લી T20 મેચમાં પણ શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે શ્રીલંકાને 3-0થી હરાવીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. આ જીત બાદ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વની ખૂબ પ્રશંસા થઈ રહી છે. મેચ જીત્યા પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરીથી નિવેદન આપ્યું છે કે તે કેપ્ટન બનવા માંગતો નથી. સૂર્યકુમાર યાદવનું આ નિવેદન ચર્ચામાં રહે છે.
કેપ્ટન બનવા માંગતો નથી..!: સૂર્યકુમાર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન આ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે તે કેપ્ટન બનવા માંગતો નથી. તે જાણીતું છે કે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ રોહિત શર્માએ ક્રિકેટના આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું, ત્યારબાદ સૂર્યકુમાર યાદવને ક્રિકેટના આ ફોર્મેટની કેપ્ટન્સી સોંપવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવતા ઘણા દિગ્ગજોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, કારણ કે લોકો હાર્દિક પંડ્યાને આ ફોર્મેટના કેપ્ટન તરીકે જોવા માંગતા હતા.
સૂર્યકુમાર યાદવે શું કહ્યું?
સીરીઝ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે કેપ્ટન બનવા નથી ઈચ્છતો પરંતુ લીડર બનવા માંગે છે. તેણે કહ્યું કે ખેલાડીઓના આત્મવિશ્વાસ અને ક્ષમતાને કારણે તેમને મેદાન પર વધુ કંઈ કરવું પડતું નથી. બસ દરેક ખેલાડીની ક્ષમતા અનુસાર તેનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. તે ટીમના ડ્રેસિંગ રૂમના વાતાવરણથી ખૂબ જ ખુશ છે.
લીડરશીપના કારણે જ કેપ્ટનશીપ મળી
સૂર્યકુમાર યાદવને કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો તેના જવાબમાં કોચ ગૌતમ ગંભીર અને પસંદગીકાર અજીત અગરકરે શ્રીલંકા પ્રવાસે જતા પહેલા જ કહ્યું હતું કે તેમની પાસે લીડરશીપની ગુણવત્તા છે. તે જાણે છે કે ખેલાડીઓ વચ્ચે તાલમેલ કેવી રીતે જાળવવો. આ કારણથી તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
લીડરશિપનો પુરાવો આપ્યો
આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવે પણ પોતાની નેતૃત્વ ક્ષમતા બતાવી હતી. જે રીતે તે છેલ્લી મેચમાં ઓવરો નાખવા આવ્યો હતો અને બેટથી સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. તે સ્પષ્ટ છે કે ટીમના લીડર તરીકે તે પોતે પણ શાનદાર પ્રદર્શન કરીને એક દાખલો બેસાડવા માંગે છે. તેના પ્રદર્શનના આધારે તેને મેન ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.