- સંજુ સેમસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી
- શ્રીલંકા સામે સતત બે મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ
- ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને આ ખેલાડીઓને મળશે તક
સ્થાનિક ક્રિકેટમાં સારા પ્રદર્શન છતાં સંજુ સેમસન હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કંઈ ખાસ કરી શક્યો નથી. સંજુને સતત તકો મળી રહી છે અને અત્યાર સુધી તે આ તકોનો સારી રીતે લાભ ઉઠાવી શક્યો નથી. તેને શ્રીલંકા સામેની સતત બે T20 મેચોમાં પણ તક મળી હતી અને તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો, તેથી હવે ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને વધુ ખેલાડીઓને અજમાવવા જોઈએ. જે સંજુ સેમસનનું સ્થાન લઈ શકે છે.
અભિષેક શર્મા
અભિષેક શર્માએ IPLમાં કમાલ કર્યો હતો. તેણે આ વર્ષે IPLમાં 400થી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય તેનો સ્ટ્રાઈક રેટ પણ 200થી વધુ હતો. આ સાથે જ તેણે ઝિમ્બાબ્વે સામેની મેચમાં પણ સદી ફટકારી હતી. અભિષેક શર્મા એક સારા બેટ્સમેન હોવા ઉપરાંત એક સારો બોલર પણ છે. આવી સ્થિતિમાં સંજુ સેમસનની જગ્યાએ તેને પણ તક આપવામાં આવી શકે છે.
રૂતુરાજ ગાયકવાડ
રૂતુરાજ ગાયકવાડે છેલ્લા કેટલાક સમયથી સતત સારું પ્રદર્શન કર્યું છે. તે ટીમ ઈન્ડિયા માટે સતત રન બનાવી રહ્યો છે. IPLમાં પણ તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે ઝિમ્બાબ્વે સામે T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તે ત્રીજા નંબર પર પણ બેટિંગ કરી શકે છે. રુતુરાજ ગાયકવાડને ભવિષ્યમાં કેપ્ટન તરીકે પણ તૈયાર કરી શકાય છે. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે.
ધ્રુવ જુરેલ
ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન ધ્રુવ જુરેલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની જાતને સાબિત કરી છે. તેણે IPLમાં રાજસ્થાન માટે ફિનિશરની ભૂમિકા ભજવી છે. ધ્રુવ જુરેલની ટેક્નિક ઘણી સારી છે. તે લાંબી ઇનિંગ્સ પણ રમી શકે છે. આ સિવાય તે એક સારો વિકેટકીપર પણ છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ હવે તેને રિષભ પંતના બેકઅપ તરીકે તૈયાર કરી શકે છે.