વનડે શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયા હવે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે તૈયાર છે. રોહિત શર્માની ઈજાને કારણે કેએલ રાહુલ પ્રથમ મેચમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે અને તેણે બાંગ્લાદેશ સામે આક્રમક રણનીતિ સાથે જવાની જાહેરાત કરી છે. ચટગાંવમાં યોજાનારી આ મેચ માટે ટીમ ઈન્ડિયા કઈ રણનીતિ લઈને આવે છે તે જોવાનું રહેશે.
રોહિતની ગેરહાજરીમાં શુભમન ગિલ કરશે ઓપનિંગ
ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર કેએલ રાહુલ અને રોહિત શર્માની જોડી જ ઓપનિંગ સંભાળી રહી છે. પરંતુ રોહિત શર્મા અંગૂઠાની ઈજાને કારણે પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે, તેથી યુવા શુભમન ગિલ કેપ્ટન કેએલ રાહુલ સાથે ઓપનિંગ સંભાળી શકે છે. શુભમન ગિલને અત્યાર સુધી જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે પોતાની જાતને સાબિત કરી છે.

પૂજારા-કોહલી ત્રીજા-ચોથા ક્રમે
વાઈસ કેપ્ટન ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર રમવાની આશા છે, તેની સાથે વિરાટ કોહલી ચોથા ક્રમે રહેશે. જેણે પોતાની સદીઓનો દુષ્કાળ ખતમ કરી દીધો છે, T20 અને ODIમાં સદી ફટકાર્યા બાદ હવે ટેસ્ટનો વારો છે, આવી સ્થિતિમાં વિરાટ કોહલીના પ્રદર્શન પર બધાની નજર રહેશે.
મિડલ ઓર્ડરમાં કોને મળશે તક?
ભારતીય ટીમ પર નજર કરીએ તો મિડલ ઓર્ડરનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. જ્યાં જવાબદારી શ્રેયસ અય્યર અને રિષભ પંત પર રહેશે. રિષભ પંત બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થયા બાદ વાપસી કરી રહ્યો છે. સફેદ બોલના ફોર્મેટમાં તેના પ્રદર્શન પર સવાલો ઉભા થયા હતા, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન જોરદાર રહ્યું છે.
જાડેજાની ગેરહાજરીમાં અક્ષર પટેલ
રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં માત્ર અક્ષર પટેલ જ રવિચંદ્રન અશ્વિનને સપોર્ટ કરશે. ઝડપી બોલિંગમાં પણ જવાબદારી મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ પર આવી શકે છે.

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકેટર), કેએસ ભરત (વિકેટકેટર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઈસ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.
ભારત VS બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી:
પ્રથમ ટેસ્ટ - 14-18 ડિસેમ્બર, ચિત્તાગોંગ
બીજી ટેસ્ટ - 22-26 ડિસેમ્બર, ઢાકા