કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. કાનપુર ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. ખરાબ આઉટફિલ્ડને કારણે બીજા અને ત્રીજામાં કોઈ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. જેના કારણે બે દિવસની રમત રદ્દ કરવામાં આવી હતી. હવે ચોથા દિવસે કાનપુરમાં હવામાન સાફ દેખાઈ રહ્યું છે જેના કારણે 98 ઓવરની રમત જોવા મળી રહી છે. ચોથા દિવસે બાંગ્લાદેશના બેટ્સમેનોએ થોડો સમય ક્રિઝ પર વિતાવ્યો હતો, જેના કારણે ભારતીય ટીમને ચોથી વિકેટ માટે થોડો સમય રાહ જોવી પડી હતી. જસપ્રીત બુમરાહે ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી.
બુમરાહના ખતરનાક બોલ પર મુશફિકુર આઉટ
ચોથા દિવસે ભારતીય ટીમને વિકેટ માટે થોડો સમય રાહ જોવી પડી હતી. આ પછી જસપ્રીતે શાનદાર બોલિંગ કરીને પહેલા સેશનમાં જ બાંગ્લાદેશને ચોથો મોટો ઝટકો આપ્યો હતો. બાંગ્લાદેશને ચોથો ઝટકો મુશ્ફિકુર રહીમના રૂપમાં લાગ્યો હતો. રહીમ 11 રન બનાવીને આઉટ થયો હતો. બુમરાહે રહીમની સામે એવો ખતરનાક બોલ ફેંક્યો કે તે સમજી શક્યો નહીં, જેના કારણે રહીમના સ્ટમ્પ ઉડી ગયા. બીસીસીઆઈએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
પ્રથમ દિવસે 35 ઓવર રમાઈ હતી
કાનપુર ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પણ વરસાદના કારણે વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. જેમાં બાંગ્લાદેશની ટીમ 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવી શકી હતી. ભારત તરફથી પ્રથમ દિવસે બોલિંગ કરતી વખતે આકાશ દીપે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય આર અશ્વિને એક વિકેટ લીધી હતી.
ભારત માટે બુમરાહ-સિરાજનું જોરદાર પ્રદર્શન
બુમરાહે ભારત માટે જોરદાર બોલિંગ કરી હતી. તેને 18 ઓવરમાં 50 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ દરમિયાન 7 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. મોહમ્મદ સિરાજે 17 ઓવરમાં 57 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેને 2 મેડન ઓવર પણ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને 15 ઓવરમાં 45 રન આપીને 2 વિકેટ લીધી હતી. આકાશ દીપે 15 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાને પણ એક વિકેટ મળી હતી. તેને 9.2 ઓવરમાં 28 રન આપ્યા હતા.