• રાંચી ટેસ્ટ મેચમાં ધ્રુવ જુરેલનું શાનદાર પ્રદર્શન
  • ધ્રુવ જુરેલે 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી
  • ધ્રુવ જુરેલ ટીમ ઈન્ડિયા માટે સંકટમોચન બન્યો

રાંચી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ટીમ ઈન્ડિયા માટે સંકટમોચન બન્યો હતો. ધ્રુવ જુરેલે ત્રીજા દિવસે પોતાની શાનદાર ઇનિંગ વડે ટીમ ઈન્ડિયાના સ્કોરને 300ની પાર પહોંચાડી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર દરેક લોકો ધ્રુવ જુરેલની ઇનિંગના વખાણ કરતા થાકતા ન હતા. ધ્રુવ જુરેલની શાનદાર ઈનિંગથી પ્રભાવિત થઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ એક પોસ્ટ કરી. જેના પર ક્રિકેટ ચાહકો ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે.

સેહવાગના કેપ્શન પર યુઝર્સ ગુસ્સે

વાસ્તવમાં, રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે ધ્રુવ જુરેલે 90 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. એવા સમયે જ્યારે ટીમ ઈન્ડિયા સતત વિકેટો ગુમાવી રહી હતી, ત્યારે ક્રિઝ પર આવેલા ધ્રુવ જુરેલે ન માત્ર ઈનિંગ્સને સંભાળી પરંતુ ટીમના સ્કોરને 300ની પાર પણ લઈ ગયો હતો. જો કે ધ્રુવ તેની પ્રથમ ટેસ્ટ સદી ચૂકી ગયો હતો, પરંતુ તેણે શાનદાર ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાની 'લાજ' બચાવી હતી. ધ્રુવ જુરેલની શાનદાર ઇનિંગ્સ પછી, વીરેન્દ્ર સેહવાગે X પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે કોઈ મીડિયા હાઈપ નહીં, કોઈ ડ્રામા નહીં, ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહીને શાનદાર ઈનિંગ રમી. શાબાશ ધ્રુવ જુરેલ. શુભેચ્છાઓ.

સેહવાગના ટ્વિટ પર યુઝર્સની પ્રતિક્રિયા

સેહવાગનું આ ટ્વીટ સામે આવ્યા બાદ પ્રશંસકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. કેટલાક યુઝર્સે સેહવાગ પર આરોપ લગાવ્યો કે છેલ્લી મેચ દરમિયાન જે રીતે બધાએ સરફરાઝ ખાનના વખાણ કર્યા તેનાથી પૂર્વ ખેલાડી ખુશ નથી. વાસ્તવમાં સરફરાઝ ખાને જે રીતે ત્રીજી ટેસ્ટ મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તે પછી બધાએ સોશિયલ મીડિયા પર તેની ઈનિંગના વખાણ કરતી પોસ્ટ શેર કરી અને સરફરાઝ ખાનની ઈનિંગના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

સેહવાગની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, તમે વધુ સારું કરી શકો છો. ઓછામાં ઓછું તમે એક એક્સ-પ્રોફેશનલ ક્રિકેટર જેવું વર્તન કરી શકો અને ટ્રોલ નહીં, સર. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, આ માણસ માટે શું પતન છે. સરફરાઝે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના મેદાન પરના રેકોર્ડ માટે ઘણું ધ્યાન ખેંચ્યું હતું. ધ્રુવ જુરેલે આવું કર્યું નથી કારણ કે તે માત્ર 15 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યોછે.


  • Follow us on: