- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
- ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી શરૂ થશે
- રાંચી ટેસ્ટમાં રજત પાટીદાર થઈ શકે છે બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલની વાપસી થઈ શકે છે. જે બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થશે. તે જ સમયે, કેએલ રાહુલની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થયા બાદ એક ખેલાડીને પડતો મુકવામાં આવશે તે નિશ્ચિત માનવામાં આવે છે. વાસ્તવમાં કેએલ રાહુલ સિરીઝની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ રાહુલને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું. બીજી ટેસ્ટ મેચ પછી, આશા હતી કે કેએલ રાહુલ ત્રીજી ટેસ્ટ મેચમાં વાપસી કરી શકે છે પરંતુ ત્યાં સુધી રાહુલ સંપૂર્ણ રીતે ફિટ નહોતો. પરંતુ હવે અહેવાલો અનુસાર, કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે અને ચોથી ટેસ્ટ મેચમાં વાપસી કરવા માટે તૈયાર છે.
રજત પાટીદાર થઈ શકે છે બહાર
ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલની ગેરહાજરીમાં રજત પાટીદારને ડેબ્યૂ કરવાની તક મળી. જો કે, અત્યાર સુધી રજત આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવી શક્યો નથી. જેના કારણે હવે જો કેએલ રાહુલ ચોથી ટેસ્ટ મેચમાં પરત ફરે છે તો રજત પાટીદારને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. બીજી તરફ ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનને પણ ડેબ્યુ કરવાની તક મળી છે. જેને આ બંને ખેલાડીઓએ તકને બંને હાથે ઝડપી હતી. ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને બંને મેચમાં શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેના કારણે હવે માત્ર રજત પાટીદાર જ ચોથી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.
કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં
રજત પાટીદારે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 32 રન અને બીજી ઇનિંગમાં માત્ર 9 રન બનાવ્યા હતા. આ પછી રજતને ત્રીજી ટેસ્ટ મેચમાં પણ તક મળી. રજત ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 5 રન બનાવીને આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આવી સ્થિતિમાં પસંદગીકારો રજત પાટીદારને બીજી તક આપવાના મૂડમાં નહીં હોય. જો કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફિટ છે તો તે ચોક્કસપણે રાંચી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરી શકે છે. કેએલ રાહુલનું વર્તમાન ફોર્મ પણ ઘણું સારું છે. રાહુલે સિરીઝની પ્રથમ મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી.