- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- છેલ્લા 24 કલાકમાં વરસાદની સ્થિતિ
- મેચ યોજાશે કે નહીં?
આજે રાત્રે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ICC T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ પર સમગ્ર વિશ્વની નજર છે. ગત વખતે પણ ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી હતી અને ઈંગ્લેન્ડે તેને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી હતી. આ વખતે રોહિત શર્માની ટીમ પહેલા કરતા સારી છે અને તેનું ફોર્મ ઈંગ્લેન્ડની ટીમ કરતા સારું છે. ભારતને સેમિફાઈનલ જીતવા માટે દાવેદાર માનવામાં આવે છે. આ મેચમાં વરસાદ આવવાની શક્યતા છે પરંતુ સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો નથી.













