• T20 વર્લ્ડકપની સુપર-8ની મહત્વની મેચમાં કાંગારૂ સાથે લીધો બદલો
  • ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં બ્રિટિશરો સાથે બદલો લેવા ઉતરશે
  • આજની વિજેતા ટીમ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

T20 વર્લ્ડકપની સુપર-8ની મહત્વની મેચમાં કાંગારૂને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં બ્રિટિશરો સાથે બદલો લેવા ગયાનાના મેદાનમાં ઉતરશે. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2024 ની બીજી સેમીફાઈનલ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલા દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. મતલબ કે આજની વિજેતા ટીમ 29મી જૂને ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે 2023ના ODI વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની હારનો બદલો લઈ લીધો છે. હવે રોહિત બ્રિગેડ 2022 T20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હારનો બદલો લેવા માંગશે. ગત T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.

હેડ ટુ હેડ રેકોર્ડ

T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો અત્યાર સુધી ચાર વખત ટકરાયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ બે મેચ જીતી છે. બે મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો છે. આવી સ્થિતિમાં આજે પણ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે.

જો મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં જશે

ગયાનામાં આજે વરસાદની સારી સંભાવના છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પણ રદ્દ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેચ શરૂ થવાના એક કલાક પહેલા વરસાદની 40 ટકા શક્યતા છે. મેચ શરૂ થવાના સમયે વરસાદની 60 ટકા શક્યતા છે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો ICCના નિયમો અનુસાર, ટીમ ઈન્ડિયા સુપર-8માં ટોચ પર રહેવાને કારણે ફાઇનલમાં પ્રવેશ કરશે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.

ઈંગ્લેન્ડના સંભવિત પ્લેઈંગ ઈલેવન- ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયમ લિવિંગસ્ટોન, સેમ કરન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, રીસ ટોપલી અને આદિલ રશીદ.

  • Follow us on: