- અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગને ટી20 સિરીઝમાં પહેલી વખત ટીમ ઈન્ડિયામાં તક મળી છે
- આ પહેલા ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે
- ઝિમ્બાબ્વે સામેની તમામ મેચ હરારેમાં રમાશે
ભારતીય ટીમ હવે ઝિમ્બાબ્વે સામે 5 મેચની ટી20 સિરીઝ રમશે. પહેલા ટી20 મેચ 6 જુલાઈએ રમાશે. શુભમન ગિલ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં કેપ્ટન બનવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને ભારત તરફથી રમવાની તક મળવાની છે. યુવા ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રેયાન પરાગને ઝિમ્બાબ્વે સામેની ટી-20 સીરીઝમાં પહેલીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી છે. ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ઝિમ્બાબ્વે સામેની તમામ મેચ હરારેમાં રમાશે.
મેચ શેડ્યૂલ અને ભારતીય સમયની વિગતો













