IPL 2024માં KL રાહુલની કપ્તાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી. તે જ સમયે, આ સિઝનમાં કેએલ રાહુલની બેટિંગને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા પણ મેચમાં હાર બાદ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. મેચ બાદ LSGના માલિક પણ કેપ્ટન કેએલ રાહુલ પર ગુસ્સો કરતા જોવા મળ્યા હતા.
કેએલ રાહુલ અને સંજય ગોએન્કા વચ્ચે વિવાદ
LSGની આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હતી, જેમાં ટીમને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કેએલ રાહુલ અને ગોએન્કાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ફેન્સ કહેવા લાગ્યા કે કેએલ રાહુલે હવે LSG છોડી દેવું જોઈએ. હવે લખનૌ સુપર જાયન્ટ્સના એક ઓલરાઉન્ડરે આ મામલે મોટો ખુલાસો કર્યો છે.
રાહુલ-ગોએન્કા વિવાદ પર કૃષ્ણપ્પા ગૌતમનું મોટું નિવેદન
કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કા વચ્ચેના વિવાદનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો. હવે બંને ફરી મળ્યા છે અને સંજીવ ગોએન્કા કહે છે કે રાહુલ LSG પરિવારનો એક ભાગ છે. હવે ટીમના ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે મેચમાં અમે જે રીતે હારી ગયા તેનાથી સંજીવ ગોયન્કા થોડા નિરાશ હતા.
દરેક વ્યક્તિ ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. આ દરમિયાન કેએલ રાહુલે ખૂબ જ ધીરજથી તેમની વાત સાંભળી. તેણે માલિક કે ખેલાડીઓનો કોઈ પક્ષ લીધો ન હતો. કારણ કે ગોએન્કાએ ખુલાસો કરતા પહેલા હારની ચર્ચા કરવાની હતી. અમે જે રીતે મેચ હાર્યા તે શરમજનક હતી, આ હારથી તેઓ નિરાશ થયા જેના કારણે તેઓ આવી પ્રતિક્રિયા આપી.
રાહુલ અને ગોએન્કાએ સાથે કર્યું ડિનર
લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના અહેવાલો વચ્ચે સંજીવ ગોએન્કાએ તાજેતરમાં કેએલ રાહુલને તેમના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જે બાદ બંનેના હસતા અને ગળે લગાવતાની તસવીરો સામે આવી હતી. જે પછી ચાહકોએ અનુમાન લગાવ્યું કે હવે રાહુલ અને ગોએન્કા વચ્ચે બધુ બરાબર છે અને ફરી એકવાર રાહુલ LSG તરફથી રમતા જોવા મળશે.