- રાજસ્થાન રોયલ્સે RCBને 4 વિકેટે હરાવ્યું હતું
- RCBની હાર બાદ વિરાટ કોહલીએ પ્રતિક્રિયા આપી
- 'હું આ ટુર્નામેન્ટને હંમેશા યાદ રાખીશ': વિરાટ કોહલી
રાજસ્થાન રોયલ્સ સામે RCBની હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ મોટી પ્રતિક્રિયા આપી છે. આ હાર સાથે RCBનું IPL ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે અમે એક સમયે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા પરંતુ અમે જે રીતે વાપસી કરીને પ્લેઓફમાં જગ્યા બનાવી છે તે ટીમનું પાત્ર દર્શાવે છે. વિરાટે RCBની હાર પર પોતાનું નિવેદન આપ્યું છે. IPL 2024માં બેંગલુરુએ જે રીતે પુનરાગમન કર્યું તે પ્રશંસનીય હતું. પ્રથમ 8 મેચમાંથી 7 હાર્યા પછી પણ, RCB પ્લેઓફ માટે ક્વોલિફાય થયું, તે કોઈ ચમત્કારથી ઓછું ન હતું, પરંતુ બેંગલુરુ એલિમિનેટરમાં હારી ગયું. હવે વિરાટ કોહલીએ RCBની હાર પર પ્રતિક્રિયા આપી છે.
IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે RCBને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે આ લક્ષ્યાંક 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.













