- IPL 2024નું પ્લેઓફ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે
- પ્રથમ ક્વોલિફાયર મેચ SRH અને KKR વચ્ચે રમાશે
- મોટેર સ્ટેડિયમમાં બેટ્સમેનોને મળશે વધુ મદદ
IPL 2024નું પ્લેઓફ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. ટોપ-4માં હાજર તમામ ટીમોએ પ્લેઓફમાં પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી છે. સિઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) આ મેચમાં સામસામે ટકરાશે. એક તરફ KKRએ 20 પોઈન્ટ મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી, બીજી તરફ, SRH 17 પોઈન્ટ મેળવીને ટેબલમાં બીજા સ્થાને રહી. આ બંને ટીમો માટે હોમ ગ્રાઉન્ડ નહીં હોય, તેથી IPL 2024 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં પિચની સ્થિતિ કેવી હશે તે અંગે પ્રશ્નો ઉભા થવાના છે.
કેવી હશે પીચની હાલત?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ માટે સારી માનવામાં આવે છે. IPL 2024માં પણ આ મેદાન પર રનનો ભારે વરસાદ થયો છે. આવી સ્થિતિમાં, SRH vs KKR ક્વોલિફાયર 1 મેચમાં રનનો ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ આ પીચ પણ ફાસ્ટ બોલરો માટે ખાસ મદદરૂપ રહી છે. જો છેલ્લી પાંચ મેચની વાત કરીએ તો પીછો કરતી ટીમ દરેક વખતે વિજયી રહી છે. તેથી, ક્વોલિફાયર મેચમાં, ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફાયદો થશે
ODI ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારત પહેલા રમતા 240 રન બનાવી શક્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે આ જ મેદાન પર ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રનની ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. બીજું, તેનું બેટ IPL 2024માં ઘણા રન બનાવી રહ્યું છે. હેડે આ સિઝનમાં અત્યાર સુધી 12 મેચમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારીને 533 રન બનાવ્યા છે.
બેટ્સમેનોને મળશે મદદ
બીજી તરફ જો પેટ કમિન્સની વાત કરીએ તો તેણે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં 10 ઓવર ફેંકી હતી, જેમાં તેણે માત્ર 34 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. જ્યારે SRH એ IPL 2024માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમી હતી ત્યારે પણ કમિન્સે 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 1 વિકેટ લીધી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે મદદરૂપ હોવાથી SRHના તોફાની બેટ્સમેનો આ વખતે જોરદાર સ્કોર બનાવી શકે છે.