- IPL 2024માં 67મી મેચ મુંબઈ અને લખનૌ વચ્ચે રમાશે
- મુંબઈ ઈન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર
- મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિતની આ છેલ્લી IPL મેચ હશે
IPL 2024માં 67મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સિઝનમાં મુંબઈની આ છેલ્લી મેચ છે. આવી સ્થિતિમાં, ટીમ આ મેચ જીતીને તેના સીઝન-17 અભિયાનને સમાપ્ત કરવા માંગે છે. હવે રોહિત શર્માને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ સતત વાયરલ થઈ રહી છે. ફેન્સને લાગે છે કે મુંબઈ માટે રોહિતની આ છેલ્લી IPL મેચ હશે.
શું આ રોહિતની છેલ્લી મેચ હશે?
રોહિતે IPL 2024માં ખૂબ જ સારી શરૂઆત કરી હતી પરંતુ પછીની કેટલીક મેચોમાં હિટમેનનું બેટ સંપૂર્ણપણે શાંત થઈ ગયું હતું. આ સિઝનમાં, રોહિતે CSK સામે શાનદાર સદી ફટકારી હતી, ત્યારથી હિટમેન સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. આજે મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનની છેલ્લી મેચ રમવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ફેન્સને લાગે છે કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માની આ છેલ્લી મેચ હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ આ અંગે સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે પોસ્ટ શેર કરીને લખ્યું કે આ રોહિત શર્માની છેલ્લી મેચ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે વિદાય મેચ હોઈ શકે છે. તો IPLમાં રોહિત યુગનો અંત..જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે રોહિત શર્મા આવતીકાલે મુંબઈ ઈન્ડિયન્સ માટે તેની છેલ્લી મેચ રમવા જઈ રહ્યો છે. ઈતિહાસ આ વારસાને ક્યારેય નહીં ભૂલે.
IPL 2024માં મુંબઈનું પ્રદર્શન
આ સિઝનની શરૂઆત પહેલા જ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ સિઝનમાં મુંબઈનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું છે અને ટીમ પ્લેઓફની રેસમાંથી સૌથી પહેલા બહાર થઈ ગઈ હતી. મુંબઈએ અત્યાર સુધીમાં 13 મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર 4માં જીતી શકી છે અને 9 મેચ હારી છે. હાલ મુંબઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. મુંબઈના ખરાબ પ્રદર્શનને લઈને કેપ્ટન હાર્દિક પર ઘણા સવાલો ઉભા થયા છે. હાર્દિક દરેક મેચ દરમિયાન તેની ખરાબ કેપ્ટન્સી માટે ટ્રોલ થયો છે.