- દિલ્હી કેપિટલ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 12 રને પરાજય થયો હતો
- આ મેચમાં દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત નિષ્ફળ રહ્યો હતો
- ઋષભ પંત 14મી ઓવરમાં આઉટ થયો હતો અને તેની વિકેટ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે લીધી
IPL 2024માં રાજસ્થાન રોયલ્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટસને એક તરફી રીતે હરાવનારી આ ટીમે દિલ્હી કેપિટલ્સને પણ હરાવ્યું હતું. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 185 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી. દિલ્હીની ટીમની હારના ઘણા કારણો હતા પરંતુ આ હાર માટે કેપ્ટન ઋષભ પંત પણ જવાબદાર હતો. જ્યારે દિલ્હીને ઊંચા રન રેટ પર રન બનાવવા હતા ત્યારે ઋષભ પંત માત્ર 107ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી શક્યો હતો અને જ્યારે તે આઉટ થયો ત્યારે તેણે કંઈક એવું કર્યું જેના માટે તેને IPLમાં સજા થઈ શકે.
મેચ હાર્યા બાદ પંતે શું કહ્યું













