- ઈંગ્લેન્ડના મેચ પ્રેઝન્ટર પીયર્સ મોર્ગને પોતાની ટીમના બેઝબોલ ક્રિકેટના વખાણ કર્યા
- મોર્ગનની આ જ પોસ્ટના જવાબમાં માઈકલ વોને ઇંગ્લેન્ડને આપી સલાહ
- રમત ફેરફારો વિશે છે, યોગ્ય સમયે સ્ટાઇલ બદલવી જોઈએ: વોન
ઈંગ્લેન્ડના મેચ પ્રેઝન્ટર પીયર્સ મોર્ગને પોતાની ટીમના બેઝબોલ ક્રિકેટના વખાણ કર્યા હતા. તેણે તે લોકો પર પણ નિશાન સાધ્યું કે જેઓ જો રૂટની બેઝબોલ શૈલીમાં ફિટ ન થવા બદલ ટીકા કરી રહ્યા છે, જેમાં બેટ્સમેનોએ ઝડપી ગતિએ રન બનાવવાની જરૂર છે. ઈંગ્લેન્ડની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને પિયર્સ મોર્ગન સહિત બેઝબોલ શૈલીના પક્ષમાં રહેલા તમામ લોકો પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું છે કે યોગ્ય સમયે સ્ટાઈલમાં બદલાવ આવવો જોઈએ.
પીયર્સ મોર્ગને બેઝબોલના કર્યા વખાણ
જો રૂટની વિકેટ પડ્યા બાદ પીયર્સ મોર્ગને તેની પોસ્ટમાં લખ્યું, "આક્રમક શોટ રમવા માટે જો રૂટ જેવા ખેલાડીઓની ટીકા કરનારા ઈંગ્લેન્ડના ક્રિકેટ ચાહકોએ તેમના પરંપરાગત જૂના મગજને જોરદાર ફટકો આપવાની જરૂર છે. બેઝબોલ અદ્ભુત છે - સારૂ, ખરાબ, ક્યારેક બહું ખરાબ, પરંતુ સામાન્ય રીતે અદ્ભુત અને જોવા માટે હંમેશા રોમાંચક હોય છે."
માઇકલ વોને આપી સલાહ
મોર્ગનની આ જ પોસ્ટના જવાબમાં માઈકલ વોને કહ્યું, "કેપ્ટન નકામો નથી, તે પરિસ્થિતિ મુજબ રમે છે, જો રૂટ ભારતને આટલી સસ્તી વિકેટ ભેટમાં આપવા માટે ખૂબ જ સારો છે. એક મહત્વપૂર્ણ દિવસમાં 20 મિનિટ જ્યારે તેઓ 10 ખેલાડીઓ હોય. રમત ફેરફારો વિશે છે, યોગ્ય સમયે સ્ટાઇલ બદલવી જોઈએ."
જો રૂટની કરાઇ ટીકા
તમને જણાવી દઈએ કે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાની સદીના આધારે 445 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 319 રન બનાવીને પડી ભાંગી હતી. 299 રનમાં 6 વિકેટ પડી હતી. આ પછી આખી ટીમ 20 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો રૂટ રિવર્સ સ્વીપ મારવાનો પ્રયાસ કરતી વખતે આઉટ થયો હતો, જેની દરેક અંગ્રેજી ક્રિકેટ ચાહકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.