• ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સીરીઝ
  • મોહમ્મદ શમીના સપનામાં આવે છે T20 વર્લ્ડ કપ
  • મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયો

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. શમીને ઈજાના કારણે ટીમ છોડવી પડી હતી. આ પછી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સીરીઝ રમાવા જઈ રહી છે. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. મોહમ્મદ શમીની પણ આ સિરીઝ માટે પસંદગી કરવામાં આવી નથી, શમી હજુ પણ ઈજાગ્રસ્ત છે, કદાચ તેથી જ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ એક સવાલ એ પણ છે કે જો શમી ફિટ હોત તો શું તેને અફઘાનિસ્તાન સામે રમવાની તક મળી હોત.

વર્લ્ડ કપ રમવાના સવાલ પર શમીનો જવાબ

શમીને T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળે તેવી શક્યતા ઓછી છે. તેનું કારણ શમીની ઉંમર છે. T20 યુવા અને વિસ્ફોટક ખેલાડીઓની રમત છે, તેથી શમીને T20 વર્લ્ડ કપમાં રમવાની તક મળે છે કે નહીં તે જોવું રહ્યું. આ પહેલા શમી T20 વર્લ્ડ કપ રમવાને લઈને મોટું નિવેદન આપી ચુક્યો છે. શમીને ગઈકાલે એટલે કે 9 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે શમીને T20 વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે T20 વર્લ્ડ કપ મારા સપનામાં આવે છે.

મોહમ્મદ શમીના સપનામાં વર્લ્ડ કપ આવે છે'- શમી

મોહમ્મદ શમીએ વધુ કહ્યું કે વર્લ્ડ કપ રમવાનું દરેકનું સપનું હોય છે. જ્યારે પણ હું સૂઉં છું ત્યારે મને સપનું પણ આવે છે કે હું T20 વર્લ્ડ કપ રમી રહ્યો છું. હું T20 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમનો ભાગ બનવા માંગુ છું. આનાથી સ્પષ્ટ થાય છે કે શમીની T20 વર્લ્ડ કપ રમવાની ખૂબ ઈચ્છા છે. તેણે આ માટે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. હવે જોવાનું એ રહે છે કે તેને ટીમમાં સ્થામ મળશે કે નહીં. શમીને ICC વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શમીએ આ સમયગાળા દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો.


  • Follow us on: