• શમીએ બીજી ODI બાદ કોન્ફરન્સમાં બુમરાહની ચર્ચા કરી
  • અમને આશા છે કે બુમરાહ જલ્દી પરત ફરશે: શમી
  • બુમરાહ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. મોહમ્મદ શમી શાનદાર ફોર્મમાં છે અને તેણે બીજી ODIમાં ન્યૂઝીલેન્ડના ત્રણ ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. શમીએ મેચ બાદ કોન્ફરન્સ દરમિયાન જસપ્રીત બુમરાહની ચર્ચા કરી હતી. શમીએ કહ્યું કે અમને આશા છે કે તે જલ્દી પરત ફરશે.


ટૂંક સમયમાં પુનરાગમન કરશે બુમરાહ

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે ભારતીય ટીમ ઈન્દોરમાં ન્યુઝીલેન્ડ સામે આગામી મેચ રમશે. મોહમ્મદ શમી શાનદાર ફોર્મમાં છે. તેણે બીજી ODIમાં ન્યૂઝીલેન્ડના 3 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ કહેવાતા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિના આ ટીમ એકદમ સંતુલિત દેખાઈ રહી છે. જો કે, શમીનું માનવું છે કે તેના વિના ટીમ અધૂરી છે અને આશા છે કે તે ટૂંક સમયમાં પુનરાગમન કરશે.


બુમરાહને મિસ કરે છે શમી

શમીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'સારા ખેલાડીઓની કમી હંમેશા અનુભવાય છે. પરંતુ જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય તો રમત અટકતી નથી. અમે બુમરાહને મિસ કરીએ છીએ કારણ કે તે ઘણો સારો બોલર છે. અમને આશા છે કે તે જલ્દી પરત ફરશે, જેથી અમારી ટીમ વધુ મજબૂત બનશે. તે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે ટીમ સેટઅપ પૂર્ણ કરશે.

  • Follow us on: