ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે સીરિઝની પહેલી મેચ 17 રનથી જીતી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં શાનદાર વાપસી કરીને 4 વિકેટથી જીત મેળવી અને સીરિઝ 1-1થી બરાબર કરી દીધી. સીરિઝની ત્રીજી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની ગઈ છે.


વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ પર પ્રભુત્વ જમાવ્યું છે. અહીં રમાયેલી 10 વનડેમાંથી ભારતે સાત જીત મેળવી છે, ફક્ત બે હાર્યા છે અને એક ટાઈ થઈ છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2023માં અહીં રમી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા આ ​​મેદાન પર પહેલીવાર વનડે રમશે. જોકે તેઓએ 2019માં અહીં એક ટેસ્ટ અને 2022માં એક T20I રમી હતી, પરંતુ તેઓ બંને હાર્યા હતા.

ટીમ ઈન્ડિયા આ વર્ચસ્વ જાળવી રાખવા મમાંગશે

ટીમ ઈન્ડિયા છેલ્લા 10 વર્ષમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે એક પણ ODI સીરિઝ હાર્યું નથી. જો ટીમ ઈન્ડિયા આ વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે, તો વિશાખાપટ્ટનમમાં જીત મેળવવી જરૂરી છે. દરમિયાન, દક્ષિણ આફ્રિકા 10 વર્ષ પછી ભારતમાં ODI સીરિઝ જીતવાનું લક્ષ્ય રાખશે, જે કેપ્ટન ટેમ્બા બાવુમા માટે એક મોટી સિદ્ધિ હશે. તેમની કેપ્ટનશીપ હેઠળ, દક્ષિણ આફ્રિકાએ આ પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ પણ જીતી હતી.

ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી,રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, કેએલ રાહુલ (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા

દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન: રાયન રિકેલ્ટન, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), મેથ્યુ બ્રીટ્ઝકે, એડન માર્કરામ, ડેવાલ્ડ બ્રુઇસ, માર્કો જેન્સન, કોર્બિન બોશ, કેશવ મહારાજ, લુંગી એનગીડી અને ઓટનિલ બાર્ટમેન


આ પણ વાંચો -Shreyas Iyer Family Tree: રિજેક્શનથી લઈને કરોડો સુધી, જાણો ઐયરની સફળતાની કહાની





  • Follow us on: