એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બેંગલુરુએ 5 વિકેટે જીત મેળવી. આ સિઝનમાં બેંગલુરુની પાંચમી જીત અને ગુજરાતની ત્રીજી હાર રહી. મેચમાં ગુજરાત ટાઇટન્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા. જો કે સ્કોર સારો લાગતો હતો, પરંતુ 17થી 19 ઓવર દરમિયાન ટીમ ફક્ત 17 રન જ બનાવી શકી, જે હારનું મોટું કારણ બન્યું.


શું બોલ્યા શુભમન ગિલ?

પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશનમાં ગિલે કહ્યું કે, “16થી 19 ઓવરમાં અમે કોઈ બાઉન્ડરી મારી શક્યા નહીં અને અપેક્ષા મુજબ રન બનાવી શક્યા નહીં. એ ત્રણ ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા.”

બીજી ઇનિંગ વિશે ગિલે જણાવ્યું કે પાવરપ્લે પછી ટીમ સારી સ્થિતિમાં હતી, પરંતુ મિડલ ઓવર્સમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા.

કોહલીનો કેચ છૂટવા પર શું કહ્યું?

ગિલે કહ્યું કે કેચ છૂટવો ફીલ્ડર માટે મુશ્કેલ હોય છે, પરંતુ મહત્વનું એ છે કે ટીમ ફરી મેચમાં કેવી રીતે વાપસી કરે.

બોલિંગ પર પણ નારાજગી

ગિલ બોલિંગથી પણ ખુશ નહોતાં. તેમણે કહ્યું કે ટીમ સતત યોગ્ય લાઇન-લેન્થ પર બોલિંગ કરી શકી નહીં, જેના કારણે વિરોધી ટીમે મિડલ ઓવર્સમાં સારી બેટિંગ કરી.

આ પણ વાંચો: Weather Update: રાજધાનીમાં ગરમીએ ભુક્કા બોલાવ્યા, હીટવેવ શરુ IMDએ આપ્યુ એલર્ટ

  • Follow us on: