ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેની રમતની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, જાણીતી અભિનેત્રી અને પ્રભાવશાળી તાનિયા ચેટર્જીના એક દાવાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તાનિયાનો આરોપ છે કે ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ મેસેજમાં "ક્યુટ" કહીને સંબોધી હતી. આ વિવાદ હવે એક નવા વળાંક પર છે કારણ કે ચહલના સાથી ખેલાડી અર્શદીપ સિંહે આ બાબતે તેની જાહેરમાં મજાક ઉડાવી છે.
શું છે સમગ્ર મામલો?
તાનિયા ચેટર્જી, જે 'ગંદી બાત' જેવા શો માટે જાણીતી છે, તેણે વર્ષ 2023ની એક ઘટના વિશે ખુલાસો કરતા જણાવ્યું કે તે સમયે પરિણીત હોવા છતાં ચહલે તેને મેસેજ કર્યો હતો. તાનિયાએ પાપારાઝી સામે મેસેજના પુરાવા પણ રજૂ કર્યા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા ચહલે તાનિયા વિરુદ્ધ માનહાનિનો દાવો પણ દાખલ કર્યો છે. તાનિયાનું કહેવું છે કે તે ચહલનું સન્માન કરે છે અને તેનો ઈરાદો ક્રિકેટરની છબી ખરાબ કરવાનો નહોતો, પરંતુ સત્ય સામે લાવવાનો હતો.













