ઇન્ડિયન પ્રીમિયર લીગ2026માં સીએસકેનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે,તેણે પોતાની ત્રણેય શરૂઆતની મેચ ગુમાવી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તેમનો ત્રીજો પરાજય 43 રનથી થયો હતો.ચાહકો માને છે કે મહેન્દ્ર સિંહ ધોનીની ગેરહાજરી સીએસકેની મુશ્કેલી વધી રહી છે. ભારતના ભૂતપૂર્વ ખેલાડી ઇરફાન પઠાણે જણાવ્યું છે કે નૂર અહેમદ પાંચ વખતના ચેમ્પિયન માટે મોટી ચિંતાનો વિષય છે.પઠાણે જણાવ્યું હતું કે નૂરએ આ સિઝનમાં લગભગ 10 ઓવર ફેંકી છે, 100 થી વધુ રન આપ્યા છે અને એક પણ વિકેટ લીધી નથી. તેનો 11.1નો ઇકોનોમી રેટ પણ ટીમની મુશ્કેલીઓનું કારણ બને છે.

સીએસકેનું નિરાશાજનક પ્રદર્શન

એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સીએસકેની 43 રનની હાર બાદ, પઠાણે સૂચન કર્યું હતું કે નૂરને પોતાનો રન-અપ બદલવો જોઈએ. પઠાણે પોતાના યુટ્યુબ વિડીયોમાં કહ્યું, "તે (નૂર) હાલમાં CSK માટે સૌથી મોટી સમસ્યા છે. મને લાગે છે કે જો તે પોતાના રન-અપનો એંગલ સુધારે છે, તો તેની ગોઠવણીમાં સુધારો થશે. તેનો હાથ, જે એક તરફ પડી રહ્યો હતો, તે પણ સીધો થશે."

નૂર અહેમદ પર ઉઠયા સવાલ 

પઠાણના મતે,CSK ફાસ્ટ બોલર મેટ હેનરી પણ હારનું કારણ છે અને તેણે હવે સારું પ્રદર્શન કરવું જોઈએ. પઠાણે કહ્યું, "હું તેની બોલિંગથી ખૂબ જ નિરાશ છું કારણ કે તે ઘણો અનુભવ લાવે છે. તેણે ભૂતકાળમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેની પાસે સારી ઇકોનોમી છે, પરંતુ તે આ લીગમાં આટલું પ્રદર્શન કરી શક્યો નથી. અનુભવી બોલર હાફ-વોલી બોલિંગ કરતો નથી.


  • Follow us on: