ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત ઘરઆંગણે પોતાનો ખિતાબ બચાવશે અને આજે બપોરે 1:30 વાગ્યે 15 સભ્યોની ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પસંદગી સમિતિની બેઠક મુંબઈમાં યોજાશે, જ્યાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેશે.
ટીમ ઈન્ડિયા સ્ક્વોડની જાહેરાત: તમામની નજર પસંદગી પર
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત આજે (20 ડિસેમ્બર) થવાની છે. પસંદગી પ્રક્રિયા માટે અજિત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારોની મહત્વપૂર્ણ બેઠક મુંબઈમાં યોજાઈ રહી છે. બેઠક બાદ બપોરે 1:30 વાગ્યે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની સ્ક્વોડ જાહેર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ વખતનો T20 વર્લ્ડ કપ ભારત સહિત શ્રીલંકામાં રમાવાનો છે અને ભારતીય ટીમ ઘરઆંગણે પોતાના વર્લ્ડ કપ ટાઇટલનો બચાવ કરશે. આ કારણે પસંદગીકારો અનુભવ અને યુવા પ્રતિભાનો સંતુલિત સમાવેશ કરે તેવી શક્યતા છે.













