ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2026ની શરૂઆત જીત સાથે કરી હતી. ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી તેમની પહેલી મેચમાં અમેરિકાને 29 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ હવે નામિબિયા સામે પોતાનો બીજો મેચ રમશે, જે 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા, એક સ્ટાર ખેલાડી ટીમમાં જોડાવા માટે તૈયાર છે.યુએસએ સામેની મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતે આ જાહેરાત કરી હતી.
આ ખેલાડી ટીમમાં જોડાશે
ટી20 વર્લ્ડકપ 2026માં ભારતની મજબૂત શરૂઆત વચ્ચે,ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર માટે સારા સમાચાર આવ્યા છે.11 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ વોશિંગ્ટન મેદાનની બહાર છે.બોલિંગ કરતી વખતે તેને પાંસળીમાં ઈજા થઈ હતી,પરંતુ તેમ છતાં,તે બેટિંગ કરવા માટે ઉતર્યો.તેણે અણનમ 7 રન બનાવ્યા અને ભારતને 4 વિકેટથી જીત અપાવવામાં મદદ કરી.ત્યારથી,તે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબમાંથી પસાર થઈ રહ્યો છે અને યુએસએ સામે ટીમની પહેલી મેચનો ભાગ નહોતો.
ટૂંક સમયમાં ટીમમાં જોડાશે
મેચ પછી,કેપ્ટન સૂર્યકુમાર યાદવે વોશિંગ્ટન સુંદરની ઈજા અંગે મહત્વપૂર્ણ અપડેટ આપી.તેમણે કહ્યું કે વોશિંગ્ટન હવે ઠીક છે અને ટૂંક સમયમાં ટીમમાં જોડાશે.સૂર્યકુમારે સ્પષ્ટતા કરી કે વોશિંગ્ટન દિલ્હીમાં ટીમમાં જોડાશે,જ્યાં ભારતનો આગામી મેચ યોજાવાનો છે.વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમ માટે એક મુખ્ય ખેલાડી છે.જે તેની ઓફ-સ્પિન બોલિંગ અને ઉપયોગી બેટિંગથી ટીમમાં સંતુલન લાવે છે. તેની વાપસી ટીમના બોલિંગ અને ઓલરાઉન્ડ વિકલ્પોને મજબૂત બનાવશે.
વોશિંગ્ટન સુંદરની T20I કારકિર્દી
વોશિંગ્ટન સુંદરે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 58 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 254 રન બનાવ્યા છે અને 51 વિકેટ લીધી છે. વોશિંગ્ટન સુંદર પાવરપ્લેમાં બોલિંગ કરવા માટે જાણીતા છે. તાજેતરના સમયમાં તેમને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તકો પણ આપવામાં આવી છે, જેના કારણે તેઓ પ્લેઈંગ ઈલેવનમાં પસંદગી માટે મજબૂત દાવેદાર બન્યા છે. જોકે, ભારતે જીત સાથે શરૂઆત કરી છે, તેથી પ્લેઈંગ 11માં ફેરફાર કરવો એ એક મોટો નિર્ણય હશે.
આ પણ વાંચો- T20 WC 2026 Points Table: ટીમ ઈન્ડિયા ટેબલ ટોપ પર, પહેલા દિવસે જ પાકિસ્તાનને પછાડ્યું