ભારત અને પાકિસ્તાન વચ્ચે 2026માં યોજાનારી T20 વર્લ્ડ કપ મેચ અંગેનો સસ્પેન્સ હજુ પણ ચાલુ છે.આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.અશ્વિને ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન મેચ અંગે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે.અશ્વિને માને છે કે પાકિસ્તાન ટૂંક સમયમાં ભારત સામે ન રમવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચશે,અને 15 ફેબ્રુઆરીએ યોજાનારી મેચ સમયપત્રક મુજબ રમાશે.હકીકતમાં,પાકિસ્તાન સરકારે તેની ટીમને T20 વર્લ્ડકપમાં રમવાની પરવાનગી આપી છે.પરંતુ ભારત સામે રમવાની પરવાનગી આપી નથી.આ કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.જોકે ICCએ પાકિસ્તાનના વલણ પર સવાલ ઉઠાવ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે આમ કરવાથી પાકિસ્તાનને નુકસાન થઈ શકે છે.
શું પાકિસ્તાન પોતાનો નિર્ણય બદલશે?
ભારત-પાકિસ્તાન મેચને લઈને તણાવ ચાલુ છે કારણ કે હાઈ-વોલ્ટેજ મેચ માટે ફક્ત 11 દિવસ બાકી છે. દરમિયાન, અશ્વિને વિશ્વાસ છે કે પાકિસ્તાન આગામી ચારથી પાંચ દિવસમાં યુ-ટર્ન લેશે. પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા, અશ્વિને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન મેચ ચોક્કસ થશે.તેમનું માનવું છે કે પાકિસ્તાન ચારથી પાંચ દિવસમાં પોતાનો નિર્ણય બદલી નાખશે.જો મેચ નહીં થાય તો મોટું નાણાકીય નુકસાન થશે.બ્રોડકાસ્ટર્સને મોટો ફટકો પડશે,અને આનાથી અન્ય પૂર્ણ-સભ્ય દેશો પર પણ અસર પડશે.ICC મીટિંગમાં,બધા કહેશે કે પાકિસ્તાન નુકસાન કરી રહ્યું છે.













