રવિચંદ્રન અશ્વિને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. પહેલા તેણે બેટિંગમાં સદી ફટકારી અને પછી બોલિંગ દરમિયાન તેણે એક જ દાવમાં 6 વિકેટ ઝડપી. ભારતની જીત અને તેના શાનદાર પ્રદર્શન બાદ પણ અશ્વિન ખુશ દેખાતો નહોતો.


અશ્વિન મેચ જીત્યા બાદ પણ નાખુશ

અશ્વિન એ વાતથી દુખી છે કે તેના તાજેતરના જન્મદિવસ પર તેને કોઈએ કોઈ ભેટ આપી નથી. બાંગ્લાદેશ સામેની જીત બાદ અશ્વિને આ વાતનો ખુલાસો કર્યો હતો. ગયા મંગળવારે (17 સપ્ટેમ્બર) અશ્વિને તેનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. મેચ બાદ વાત કરતા હર્ષા ભોગલેએ અશ્વિનને કહ્યું કે મેં સાંભળ્યું છે કે લોકો તેમના જન્મદિવસ પર બીજાને સારી ભેટ આપે છે. તે સારું છે કે તમે તમારી જાતને આપી. આનો જવાબ આપતાં અશ્વિને કહ્યું કે, મને કોઈએ ગિફ્ટ આપી નથી એટલે મેં મારી જાતને ગિફ્ટ આપવાનું વિચાર્યું.

ચેન્નાઈ ટેસ્ટમાં અશ્વિને કર્યો કમાલ

મેચમાં બેટિંગ અને ભારતની પ્રથમ ઇનિંગમાં અશ્વિને 133 બોલમાં 11 ફોર અને 2 સિક્સરની મદદથી 113 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાના મોટા ભાગના મુખ્ય બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા હતા ત્યારે આ ઈનિંગ અશ્વિનના બેટમાંથી આવી હતી. અશ્વિન અને જાડેજાએ ભારતીય દાવને સંભાળ્યો અને સારા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી. ત્યારબાદ મેચની છેલ્લી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે અશ્વિને 6 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે 21 ઓવર ફેંકી હતી જેમાં 88 રનનો આપ્યા હતા. પ્રથમ દાવમાં બોલિંગ કરતી વખતે અશ્વિને કોઈ વિકેટ લીધી ન હતી. આ શાનદાર પ્રદર્શન માટે ભારતીય સ્પિનરને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ આપવામાં આવ્યો હતો.


  • Follow us on: